મહુવાઃ ભારે વરસાદે હવે તો માજા મૂકી છે. ત્યારે ભાવનગરમાં ભારે વરસાદે તરાજી સર્જી છે. વાઘાનગરમાં ભારે વરસાદના કારણે 5 જેટલા કાચા મકાનો ધરાશાયી થયા છે. તો મકાન ધરાસાયી થતા 12થી પણ વધુ પશુઓના મોત થયા હતા. સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
તો આ ઘટનાથી વિસ્તારના અન્યા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું. ત્યારે હવે ભારે વરસાદે લોકોનો આસરે પણ છિનવી લીધો છે. મકાન ધરાશાયી થવાથી લોકો નિરાધાર થયા છે. આવી ઘટના ન સર્જાય જેને લઇને વીટીવી આપને સચેત કરે છે કે આ યોગ્ય સુરક્ષિત સ્થળ પર વસવાટ કરો.
મહુવા નજીકના નિકોલ બંધારામાં થયું ભંગાણ
મહત્વનું છે કે ભાવનગરમાં ભારે વરસાદના કારણે મહુવા નજીકના નિકોલ બંધારામાં ભંગાણ થયું હતું. ધોધમાર વરસાદથી બંધારાનો પાળો તૂટ્યો હતો. બંધારો તૂટવાના પગલે મહુવા ડીઝાસ્ટરની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ હતી.
મહુવા-ભાવનગર હાઇવે બંધ થયો હતો
ભાવનગરમાં વરસાદ વેરી બન્યો હતો. ધોધમાર વરસાદના પગલે હાઈવે ધોવાયા હતા. ભારે વરસાદના પગલે ભાદ્રોડ ગામ નજીક મહુવા-ભાવનગર હાઈવે બંધ થયો હતો. ભાદ્રોડી નદીમાં પાણીની આવક વધતા પુલ પરથી વાહન વ્યવહાર અટવાયો હતો. જ્યારે ભારે વરસાદને લઇને હાઇવે ધોવાયો પણ હતો. રસ્તા પરથી કાંકરી નીકળી જતા વાહન ચાલકો પરેશાન થયા હતા. હાઈવે ધોવાતા વાહનોની કતારો લાગી હતી.