નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દારૂબંધીને લઈ કરેલા નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે જેને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
એક નિવેદનથી રાજકારણમાં ગરમાવો
ભરતસિંહ સોલંકીના રાજ્ય સરકાર પર પ્રહાર
CM રૂપાણી, DyCM બે મોઢાની વાત કરે છે: ભરતસિંહ સોલંકી
રાજકારણમાં નિવેદનબાજીનો દોર ચાલતો રહેતો હોય છે ક્યારે કોઈ નેતાએ કરેલા નિવેદન બાજ રાજકારણમાં ગરમાવો આવી જતો હોય છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દારૂબંધીને લઈ કરેલા નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે જેને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
એક નિવેદનથી રાજકારણમાં ગરમાવો
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકારને આડે હાથ લીધી છે, ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપ નેતાઓના નાક નીચે દારૂ વેચાય છે. દારૂઓના અડ્ડામાં ભાજપના કાર્યકરો કમિશન ખાય છે.
ભરતસિંહ સોલંકીના રાજ્ય સરકાર પર પ્રહાર
બનાસકાંઠાના ખીમત ગામમાં કોંગ્રેસ નેતાએ દારૂબંધી અંગે નીતિન પટેલના નિવેદન પર જવાબ આપ્યો હતો જેમાં ભરતસિંહે કહ્યું કે CM રૂપાણી, DyCM નીતિન પટેલ અને ભાજપ નેતાઓ બે મોઢાની વાત કરવા ટેવાયેલા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યાનું CM રૂપાણીએ જ કબુલ્યું હતું અને ભ્રષ્ટાચાર બાબતે નીતિનભાઈને ખબર છે કે એ પોતે એના જવાબદાર છે. ત્યારે રાજકારણમાં ભરતસિંહના નિવેદન બાદ ફરી ગરમાવો આવી ગયો છે.
CM રૂપાણી, DyCM બે મોઢાની વાત કરે છે: ભરતસિંહ સોલંકી
મહત્વનું છે કે થોડા સમય પહેલા દારૂબંધી માટે ટેક્સની આવક ગુમાવવા પણ તૈયાર તેવું DyCM નીતિન પટેલે થોડા દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે આપણું ગુજરાત દારૂબંધીને વરેલું છે, દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છે. રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે. આપ સૌને ખ્યાલ છે કે ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે - તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે. તેમણે નિવેદન દરમિયાન ભાર આપીને કહ્યું હતું કે સરકાર દારૂબંધી માટે ટેક્ષની આવક પણ જતી કરવા તૈયાર છે.
ભાજપ નેતાઓના નાક નીચે દારૂ વેચાય છેઃ ભરતસિંહ
મહત્વનું છે કે નીતિન પટેલના આ નિવેદન બાદ રાજ્યપાલ ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અનેકવાર દારૂની રેમછેલ જોવા મળે છે ત્યારે દારૂબંધી પર નાયબ મુખ્યમંત્રીએ આપેલા નિવેદન પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સર્મથન આપવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ગુજરાતમાં સહિષ્ણૂતા અને ભાઈચારો છે તેનું કારણ દારબંધી છે, રાજ્યપાલે નીતિન પટેલની દારૂબંધીની વાતને સમર્થન આપતા રાજ્યપાલે DyCMને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે હવે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નીતિન પટેલે કરેલા નિવેદન મુદ્દે પૂછાતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જે બાદ રાજકારણમાં નિવેદનબાજીનો દોર શરૂ થયો છે.