હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવિડ-19 વિરોધી વેક્સિન કોવેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી માટે હજુ થોડા દિવસની રાહ જોવી પડશે. WHOની મંજૂરી માટે હજુ થોડા દિવસની રાહ જોવી પડશે.
ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનને હજી નથી મળી મંજૂરી
WHOની મંજૂરી માટે હજુ થોડા દિવસની જોવી પડશે રાહ
5 ઓક્ટોબરની બેઠકમાં ભારત બાયોટેકના સભ્યો રહેશે ઉપસ્થિત
કોવેક્સિનની મંજૂરી આપવાની બેઠક 5 ઓક્ટોબરે થશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એક વખત કોવેક્સિનને મંજૂરી આપવા માટેની બેઠકની તારીખને આગળ વધારી દીધી છે. આ બેઠક હવે 5 ઓક્ટોબરે થશે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, 5 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં કોવિડ વેક્સિન પર બનેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ગ્રુપ SAGEના સભ્ય અને કોવેક્સિનનું નિર્માણ કરતી ભારત બાયોટેકના સભ્યો ઉપસ્થિત રહેશે.
#COVID19 | Strategic Advisory Group of Experts on Immunization (SAGE) to meet at World Health Organization (WHO) on granting the emergency use authorisation to Covaxin, on October 5
ડબ્લ્યુએચઓએ અત્યાર સુધી અમેરિકાની મુખ્ય દવા કંપનીઓ ફાઈઝર-બાયોએનટેક, જોનસન એન્ડ જોનસન, મોડર્ના, ચીનની સાઈનોફાર્મ અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા બનાવેલી રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન એવી છ રસીઓમાં સામેલ છે, જેને ભારતના ઔષધિ નિયામક તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે અને દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમમાં કોવિશિલ્ડ અને સ્પુનતિક વીની સાથે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી 79 કરોડ લોકોને કોરોના વેક્સિન લગાવાઈ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચાલી રહેલા સૌથી મોટા રસીકરણ અભિયાનની બાગડોર મુખ્ય રીતે સીરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન પાસે છે. ભારતમાં અત્યાર સુધી 79 કરોડ લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે. આ બંને વેક્સિનની તુલના કરીએ તો 69 કરોડથી વધુ લોકોને કોવિશીલ્ડ જ્યારે 9 કરોડથી વધુ લોકોને કોવેક્સિન આપવામાં આવી છે. કોવિશીલ્ડને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી પહેલાં જ મંજૂરી મળી છે. જ્યારે કોવેક્સિનને હજી પણ ડબ્લ્યુએચઓની મંજૂરી મળી નથી.