ભારત બંધનું આહ્વાન ભલે રાજનીતિક દળ કરે અથવા ખેડૂતો કે મજૂરો કરે આનીથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પડે છે. ઉદ્યોગ સંગઠન કંફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII)નું એક અનુમાન છે કે એક દિવસના ભારત બંધથી અર્થવ્યવસ્થા પર 25થી 30 હજાર કરોડ રુપિયાનું નુકસાન થાય છે.
બંધથી થયેલા નુકસાની ભરપાઈ ન થઈ શકે
ખેડૂતના મુદ્દે રાજકીય પાર્ટી કરે છે રાજકારણ
ચિદમ્બરમે કહ્યું હતું કે વિરોધ એવો હોવો જોઈએ જેનાથી આર્થિક નુકસાન ન થાય
બંધથી થયેલા નુકસાની ભરપાઈ ન થઈ શકે
CII(Confederation of Indian Industry)ના એક અંદાજ મુજબ એક દિવસના દેશમાં બંધથી અર્થવ્યવસ્થાને તાત્કારીલ 25થી 30 હજાર કરોડ રુપિયાનું નુકશાન થઈ જાય છે. સંગઠન CIIનું કહેવું છે કે ભારતમાં બંધ ખતમ થયા બાદ સેવાઓને ફરી શરુ કરવામાં આવે છે પરંતુ બંધ દરમિયાન જે નુકસાન થાય છે. તેની ભરપાઈ નથી થઈ શકતી. સમજો કે એક દિવસ એક હોટેલ કે રેસ્ટોરન્ટ બંધ રહ્યા તો તેનું નુકસાન આગલા દિવસે ન ભરી શકાય. એ રીતે એક દિવસની કમાણી જતી રહી એવું માનવું.
શું છે ભારત બંધ
કેટલાક દક્ષિણ એશિયાઈ દેશો જેવા કે ભારત અને નેપાળમાં સરકારી નીતિઓની વિરુદ્ધ એકજૂટ થઈ અસંતોષ જતાવવાની રીત છે દેશમાં બંધ પાળવું. આ દરમિયાન મોટા ભાગની નાગરિક સેવાઓ બંધ થઈ જાય છે અથવા વ્યસ્ત થઈ જાય છે. જોઈએ તો ભારતમાં નાગરિકોને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવા બંધનો અધિકાર છે. સંવિધાન ધારા -19 અંતર્ગત રાઈટ ટૂ પ્રોટેસ્ટનો અધિકારી મળેલો છે. આને ઈન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ એક્સ 1947નો પણ આધાર મળ્યો છે.
બંધના નામે થાય છે રાજકારણ
ભારતમાં એક જ મુદ્દા પર રાજકીય દળોના સ્ટેન્ડ અલગ અલગ હોય છે. જોવા જઈએ તો અનેક રાજકીય દળો જ્યારે સત્તામાં હોય છે તો તે તે મુદ્દાને સપોર્ટ કરે છે જેનો તે વિપક્ષમાં રહેતા વિરોધ કરી રહ્યા હતા. આ રીતે જ્યારે સત્તામાં રહેલી પાર્ટી જેનો વિરોધ કરી રહી હોય છે તે વિપક્ષામાં આવે તો તેનો સપોર્ટ કરવા લાગે છે.
ખેડૂતના મુદ્દે રાજકારણ પણ આનાથી અલગ નથી
ખેડૂતના મુદ્દા પર ભારત બંધને લઈને કોંગ્રેસ અને ભાજપનું વલણ સમય સમય પર બદલતું રહ્યું છે. પોતાની સરકારના સમયે કોંગ્રેસે આવા મુદ્દાઓ પર ભારત બંધનો વિરોધ કર્યો હતો. જ્યારે ભાજપ સમર્થનમાં હતી. જ્યારે હવે ભાજપની સત્તા છે તો તે આ મુદ્દા પર ભારત બંધનો વિરોધ કરી રહી છે અને કોંગ્રેસ બંધને સમર્થન આપી રહી છે.
ચિદમ્બરમે કહ્યું હતું કે વિરોધ એવો હોવો જોઈએ જેનાથી આર્થિક નુકસાન ન થાય
વર્ષ 2012માં કોંગ્રેસે એફડીઆઈ સુઝાક કર્યો હતો. આના વિરોધમાં ભાજપે ભારત બંધનું આહ્વાન કર્યુ હતુ. આ સમયે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ ભારત બંધને લઈને આર્થિક નુકસાનનો હવાલો આપ્યો હતો. તાત્કાલીક નાણામંત્રી પી ચિદમ્બરમે ભાજપના ભારત બંધ પર કહ્યું હતુ કે આ આંદોલનથી દેશની અર્થવ્યવસ્થાને ફક્ત મોટું નુકસાન થશે. તેમનું કહેવું હતુ કે એવા પ્રકારના વિરોધ ન કરવા જોઈએ જેનાથી નુકસાન થાય.