આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વે સમગ્ર રાજ્ય અને દેશમાં શિવપૂજા થઇ. બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા. આ પર્વે ભક્તોએ શિવ મંદિરોમાં ભાંગનો પ્રસાદ લીધો હતો. ત્યારે અમરેલી સમગ્ર જિલ્લામાં કેટલાક લોકોને ભાંગના પ્રસાદની અસર થઇ છે.
અમરેલી જિલ્લામાં ભાંગના પ્રસાદની અસર
જિલ્લામાં 44 કેસો નોંધાયા
સરકારી હોસ્પિટલમાં નોંધણી થઇ
અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રીએ ભાંગના પ્રસાદની શિવભક્તો પર અસર થઇ હતી. અલગ અલગ જગ્યાઓ પર લોકોને ભાંગની અસર જોવા મળી હતી. ભાંગની અસર થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમના પરિવારજનો તેમને હોસ્પિટલ લઇ ગયા હતા.
જેને લઇને અમરેલી જિલ્લામાં ભાંગની અસરનાં 44 કેસો નોંધાયા છે. આ 44 કેસોની નોંધણી સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી છે. શિવ મંદિરમાંથી ભાંગનો પ્રસાદ લીધા બાદ ભક્તોને ભાંગની અસર થવા લાગી હતી. જેને લઇને તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
મહત્વનું છે કે, વધુ પડતી ભાંગ પી લેવાથી મગજના જ્ઞાનતંતુઓને અસર થાય છે અને કેટલીક વખત વ્યક્તિ માનસિક સ્થિતિ ગુમાવી પણ દે છે. ત્યારે અમરેલીમાં હાલ ભાંગની અસર થયેલા લોકોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.