રાજકોટઃ ધોરાજીના ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા લાખો લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેમિકલના કારણે ભાદરનું પાણી ઝેરીલું બની ગયું છે. જેના કારણે લોકોના સ્વસ્થ પર અસર થઈ રહી છે. આ મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મેદાનમાં આવ્યા હતા. ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધીની ચિમકી ઉચ્ચારી હતી. જેમાં હાર્દિક પટેલ સહિત અનેક કોંગ્રેસ નેતાઓ અને ધારાસભ્યો જોડાયા હતા.
ભાદર નદીમાં પ્રદૂષણ ફેલાવવાનો મામલો MLA લલિત વસોયાએ જળસમાધિની ચિમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે મારી જળસમાધિ લેવાની ઈચ્છા નથી. હું જળસમાધિ લેવાનો છું પોલીસ પોતાનું કામ કરે. કોઈ પગલા ન લેવાતા રાજ્યપાલને રજૂઆત કરાઈ છે. આગામી વિધાનસભા સત્રમાં પ્રદૂષણ મામલે મુદ્દો ઉઠાવીશ.
લલિત વસોયા સભા સ્થળેથી ભાદર-2 ડેમ જવા રવાના થયા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા લલિત વસોયાને અટકાવવામાં આવ્યા હતા. જળ સમધિ લે તે પહેલા પોલીસે તેમની લલિત વસોયાની અટકાયત કરી હતી. લલિત વસોયાની સાથે હાર્દિક પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી.
જો કે જળ સમાધિની મંજૂરી ન હોવાથી અટકાયત કરાઇ હતી. હાર્દિક પટેલ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોની પણ અટકાયત કરાઇ હતી. પોલીસે જણાવ્યું કે માત્ર સભાની મંજૂરી હતી જળસમાધિની નહીં. ત્યારબાદ વસોયા અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. લલિત વસોયાની અટકાયત કરાતા સમર્થકો ઉગ્ર બન્યા હતા. સભા સ્થળે પોલીસ અને લલિત વસોયાના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જો કે ગ્રામજનોએ પોલીસની ગાડી અટકાવી હતી. ગ્રામજનોએ પોલીસ બસનો ઘેરાવ કર્યો હતો. જો કે લોકોને શાંતિ જાળવવા લલિત વસોયા અને હાર્દિક પટેલે અપીલ કરી હતી.
અટકાયત બાદ લલિત વસોયાનું નિવેદન આપ્યું હતું કે જામીન પર છુટીને ફરી જળસમાધી લઇશ. કાયદાકીય જે લડાઇ લડવી પડશે એ લડીશ. પોલીસને આગળ કરી આંદોલનને દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે હાર્દિક અને અન્ય લોકોની અટકાયત યોગ્ય નહીં.
ધરપકડ બાદ લલિત વસોયાએ VTV સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે સૌને સાથે લઇ બિનરાજકીય રીતે લડાઇ લડીશ. લોકોને આજે પોતાની વાત પણ રજૂ કરવા દેવામાં આવતી નથી. લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. તમામ લોકોને શાંતિ રાખવા અપીલ કરું છું. લલિત વસોયાએ પ્રદૂષિત પાણીને લઇ VTVની મુહિમને આવકારી હતી.
વધુમાં તેમણે કહ્યું કે સરકારના પ્રતિનિધિઓ લોકોની વચ્ચે મોકલો. ભૂખી ગામમાં લોકોને ચામડીના રોગ થઈ રહ્યા છે. જેતપુરના ઉદ્યોગપતિઓ ગમે તે હદે જવા તૈયાર છે.
લલિત વસોયાની જળસમાધી મુદ્દે ધનસુખ ભંડેરીનુ નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. લલિત વસોયા નાટક કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રજાને જળસમાધી આપવે તેવી છે. કોંગ્રેસે પ્રજાના કામ નથી કરવા પણ દેખાવ કરવા છે.