જો તમે ખૂબ વધારે ગરમ વસ્તુઓ કે બિલકુલ ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હો તો તમારે જાણવું જરૂરી છે કે નિષ્ણાતોના મતે કેટલા તાપમાને ખાવું જરૂરી છે?
ગરમ-ગરમ જમવાનું ભાવતું હોય તો આ વાંચો
વધુ પડતું ગરમ ખાવાનું નુકસાનદાયક
કયા તાપમાન પર જમવું યોગ્ય
આપણું શરીર ચાલતું રહે તે માટે ખોરાક ખૂબ જરૂરી છે. જમવાથી માત્ર શરીરને એનર્જી મળતી નથી, પરંતુ તે આપણી હેલ્થને પણ ઇફેક્ટ કરે છે. આયુર્વેદમાં જમવાના કેટલાક નિયમો જણાવાયા છે. જેને ફોલો કરવા જરૂરી છે. ઘણા લોકોને ગરમ ગરમ જમવાની આદત હોય છે. તેને ફોલો કરવી જરૂરી છે. ગરમ ચા, ગરમ સૂપ, કોફી ઘણા લોકો ફટાફટ પી જાય છે. કેટલાક લોકોને ગરમ રોટલી કે દાળ ન મળે તો તેમને જમવાનું ફીકું ફીકું લાગે છે. જો તમે ખૂબ વધારે ગરમ વસ્તુઓ કે બિલકુલ ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હો તો તમારે જાણવું જરૂરી છે કે નિષ્ણાતોના મતે કેટલા તાપમાને ખાવું જરૂરી છે?
વધુ પડતું ગરમ ખાવાનું નુકસાનદાયક
જો તમે ગરમ ચા, સૂપ કે રોટલી ખાવાની આદત રાખતા હો તો તેને તાત્કાલિક છોડી દો. વધુ ગરમ ખાવાથી શરીરના ઇન્ટરનલ પાર્ટ્સ ડેમેજ થાય છે. ગરમ ખાવાનું ગળાની નળીથી લઇને ઇસોફેગસ સુધી નુકસાન પહોંચાડી શકે છે. જેને થર્મલ ઇન્જરીના નામથી ઓળખવામાં આવે છે, તેથી જરૂરી છે કે ખાવા-પીવાની કોઇ વસ્તુ વધુ પડતી ગરમ ન હોવી જોઇએ.
ઠંડું ખાવાથી રહો દૂર
ગરમ ખાવાની જેમ બહુ ઠંડી વસ્તુઓ ખાવાથી પણ દૂર રહેવું જોઇએ. તેનાથી શરીરના ઇન્ટરનલ પાર્ટમાં શોક લાગવાનો ડર રહે છે. આ કારણે શરીરમાં ફ્લુઇડની મૂવમેન્ટ ઘટી જાય છે અને ડાઇજેશનનો પ્રોબલેમ થઇ શકે છે.
કયા તાપમાન પર જમવું યોગ્ય
આયુર્વેદ એક્સપર્ટ મુજબ હંમેશાં તમારા શરીરની બહારની સપાટી એટલે કે સ્કીનને સૂટ કરે તેવા ટેમ્પરેચરમાં જમવું જોઇએ. દાળ, શાક, રોટી કે કોઇ પણ ખાવાની વસ્તુને આંગળીઓ સહન કરી શકે એટલા જ તાપમાનનું જમવાનું શરીર માટે હેલ્ધી હોય છે. તે સરળતાથી પચી પણ જાય છે.