ખાવાના શોખીન લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરામાં એક પિત્ઝા હટમાં પીત્ઝામાંથી ઇયળ નીકળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પિત્ઝા હટ પર પહોંચ્યા હતા અને કાર્યવાહી કરી હતી. પિત્ઝામાંથી જીવાત નીકળ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વડોદરાના રેસકોર્સ ખાતે આવેલ પિત્ઝા હટના પિત્ઝામાંથી જીવાત નીકળી હતી. ગઈકાલે રાત્રે ગ્રાહક તેમના પરિવાર સાથે પિત્ઝા હટમાં ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. જ્યારે પિત્ઝામાંથી જીવાત નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. ગ્રાહકની ફરિયાદને પિત્ઝા હટમાં વેચાણ બંધ કરવામાં આવ્યું છે.
જો કે, ગ્રાહક નિરલ મહેતાએ આરોગ્ય વિભાગ અને પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ પિત્ઝા હટ પર પહોંચ્યા હતા. ત્યારે પિત્ઝા હટના સંચાલકો અને આરોગ્ય વિભાગના અધીકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી અને કલાક સુધી ગોળ ફેરવ્યા બાદ પિત્ઝા હટ ખોલવામાં આવ્યું હતુ.
આરોગ્ય વિભાગ દ્વારા પિત્ઝા હટને સિડયૂલ 4 નોટિસ અપાઈ છે. તેમજ ચીઝ, પનીર, પિત્ઝા અને લોટના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે 100 પિત્ઝા અને રોમટિરીયલનો નાશ કર્યો. પિત્ઝામાંથી ઇયળ નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.