બેંગ્લુરુમાં ઓમિક્રોન પોઝિટીવ 2 દર્દીના સંપર્કમાં આવેલા 5 લોકો કોરોનાગ્રસ્ત નીકળતા ચિંતા વધી છે. આ ઘટનાને પગલે વૈજ્ઞાનિકોને લોકોને ચેતતા રહેવાનું જણાવ્યું છે.
ઓમિક્રોન પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા 5 લોકોને કોરોના થયો
5 લોકો ઓમિક્રોન પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવ્યાં હતા
વૈજ્ઞાનિકોને લોકોને સાવધ રહેવાની આપી મોટી ચેતવણી
ઓમિક્રોન સંક્રમિત બંને દર્દીઓ એકબીજા સાથે સંબંધિત નથી. એકને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી અને બીજાને આંશિક રસી આપવામાં આવી હતી. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 66 વર્ષીય દર્દી તાજેતરમાં દક્ષિણ આફ્રિકા ગયો હતો. બીજી તરફ, 46 વર્ષીય દર્દીનો મુસાફરીનો કોઈ ઇતિહાસ નથી. તે આરોગ્ય કાર્યકર છે.
ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત એક વ્યક્તિ 18 થી 20 લોકોને પોઝિટીવ કરી શકે
દેશના જાણીતા ડોક્ટર નરેશ ત્રેહને જણાવ્યું છે કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત એક વ્યક્તિ 18 થી 20 લોકોને પોઝિટીવ કરી શકે છે. ડો.નરેશ ત્રેહનની ચેતવણી ખૂબ ગંભીર છે અને લોકોએ હવે સમજી જવાની જરુર છે. તેમણે કહ્યું કે હજુ સમય છે લોકોએ ખૂબ સાવધાની રાખવી પડશે. અન્યથા પરિણામ ગંભીર આવી શકે છે.
ઓમિક્રોન સંક્રમણના હળવા લક્ષણો: આરોગ્ય મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આરોગ્ય સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'ઓમિક્રોન સાથે સંબંધિત તમામ કેસોમાં અત્યાર સુધીમાં હળવા લક્ષણો દેખાયા છે. દેશ અને વિશ્વભરમાં આવા તમામ કિસ્સાઓમાં હજી સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.
કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ નોંધાયા
ICMRના DG બલરામ ભાર્ગવે જણાવ્યું કે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સ્થાપિત 37 લેબોરેટરીના સંઘ દ્વારા કરવામાં આવેલા જિનોમ સિકવન્સિગના રિપોર્ટમાં બન્ને કેસ ઓમિક્રોન પોઝિટીવ આવ્યાં છે. તેમણે કહ્યું કે આપણે ડરવાની જરુર નથી પરંતુ એલર્ટ રહેવું પડશે. કોવિડ અનુરુપ વ્યવહાર અત્યંત અનિવાર્ય છે.