બીજી વખત પીએમ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના પરિવારજનોને શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. ભાજપના આ કાર્યને પશ્ચિમ બંગાળમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા તરફનું પગલું માનવામાં આવી રહ્યું છે.
30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદીની બીજી વખત તાજપોશી માટે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બિમ્સટેક દેશના રાષ્ટ્રાધ્યક્ષોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમ આ વીવીઆઇપી ચહેરાનીઓની વચ્ચે કેટલાક એવા ચહેરા પણ શપથગ્રહણમાં સામેલ થશે, જેના પરિવારના લોકોએ પશ્ચિમ બંગાળમાં ભાજપને આગળ ધપાવવા પોતાની જાનની કુર્બાની આપી છે. ભાજપે એવા 54 લોકોને શપથગ્રહણમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લે તે પહેલા ભાજપે એક માસ્ટરસ્ટ્રોક માર્યો છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં થેયલી હિંસામાં મૃત્યુ પામેલા કાર્યકર્તાઓના પરિવારને પણ આમંત્રણ આપ્યું છે. નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં હાજર રહેવા માટે આ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભાજપના આ પગલાને પશ્ચિમ બંગાળમાં પાર્ટીને વધુ મજબૂત તરફનું પગલું ગણવામાં આવી રહ્યું છે.
આ શપથ સમારોહમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહમાં અનેક વીવીઆઈપી હસ્તીઓ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી આગામી 30 મેના રોજ પીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે.