કાળા મરી અને લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઇન્ફલામેટરી ગુણો હોવાને કારણે આ બંને ખૂબ જ અસરકારક ઔષધી માનવામાં આવે છે. કાળી મરી અને લવિંગનો ઉપયોગ દવાઓ અને ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે. જેથી આજે અમે તમને આ બંને મસાલાઓનો રોજ ઉપયોગ કરવાથી મળતાં ફાયદાઓ વિશે જણાવીશું.
કાળા મરીના ફાયદા:
મરીને રોજની ડાયટમાં શામેલ કરીને તેના ફાયદાઓ મેળવી શકાય છે.
-કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.
-કાળા મરીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેનાથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે.
-કાળા મરીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
-કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કિન પ્રોબ્લેમ્સથી બચાવે છે.
-કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
લવિંગના ફાયદા:
-ભોજન કર્યા બાદ 1 લવિંગ ચાવીને ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરાની સમસ્યામાંથી રાહત મળે છે.
-દાંતમાં દુખાવા થવા પર લવિંગને શેકીને દાંત નીચે રાખી ધીરે-ધીરે ચાવવાથી દુખાવામાં તરત આરામ મળે છે.
-પ્રવાસ દરમ્યાન અથવા ક્યારે પણ ઊલટી અથવા ગભરામણની સમસ્યા રહેતી હોય તો શેકેલાં લવિંગ ચાવીને ખાવાથી રાહત મળે છે.
-લવિંગ ચાવીને ખાવાથી મોંમાં દુર્ગંધ પેદા કરતાં બેક્ટેરિયા નષ્ટ થાય છે અને દુર્ગંધ દૂર થાય છે.
-2 લવિંગનો પાઉડર 1 કપ પાણીમાં ઉકાળી ઠંડુ રહે એટલે પીવાથી ગેસની પ્રોબ્લેમમાં તરત આરામ મળે છે.