'મહા' વાવાઝોડાને લઇને અનેક અટકળો આવી રહી છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ બની રહ્યો છે. વાવાઝોડાંની ગતિ દરિયામાં ધીમી પડી છે. જો કે તેમ છતાં આ વાવાઝોડું 7 નવેમ્બરે માંગરોળથી પોરબંદર વચ્ચે ટકરાઇ શકે છે. જેના કારણે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. 'મહા' વાવાઝોડાથી બચવા માટે નાની સાવચેતી પણ રાખવામાં આવે તો તે મદદરૂપ થઈ શકે છે.
'મહા' વાવાઝોડાને લઈને ભયનો માહોલ
વાવાઝોડાથી બચવા રાખી લો આ સાવધાની
નાની સાવચેતી કરશે મોટી મદદ
મહા વાવાઝોડાને કારણે સાઉથ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટામં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, દ્વારકા, જામનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 6 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને 7 નવેમ્બરે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ સમયે પહેલાંથી જ નીચે મુજબની સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે.
વાવાઝોડા પહેલાં
રહેઠાણની મજબૂતીની તપાસ કરો.
બાંધકામની ક્ષતિને દૂર કરો.
સમાચારો અને ચેતવણીને ધ્યાનમાં રાખો.
રેડિયો અને ટીવી પર સતત નજર રાખો.
સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં રહો.
ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા રાખો.
માછીમારો દરિયો ખેડવાનું ટાળો.
બોટને સલામત સ્થળે લંગારવી.
આશ્રય લઈ શકાય તેવા સલામત સ્થળોને ધ્યાનમાં રાખો.
સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડા, ફર્સ્ટ એડ કિટ તૈયાર રાખો.
અગત્યના ફોનનંબર સાથે રાખો.
મોબાઈલ ફોન અને પાવરબેંકને હંમેશા ચાર્જ કરીને રાખો.