BCCI અને IPLની ટીમ રહી ચૂકેલ ડેક્કન ચાર્જર્સ વચ્ચેના વિવાદનો અંત
BCCI અને IPLની ટીમ રહી ચૂકેલ ડેક્કન ચાર્જર્સ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, આ કેસમાં હવે કોર્ટે BCCIના પક્ષમાં નિર્ણય આપ્યો છે. BCCI એ જૂલાઈ 2020માં આવેલ એક નિર્ણયને નકારી દીધો હતો, એ નિર્ણય મુજબ BCCI ને 4800 કરોડ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. સમગ્ર ઘટના 2012 માં બની હતી જેમાં ડેક્કન ચાર્જર્સમો ફ્રેન્ચાઇઝી કરાર સમાપ્ત થઈ ગયો હતો. ત્યારબાદ હૈદરાબાદની ટીમ દ્વારા BCCIને બોમ્બે હાઇકોર્ટમાં ચીમકી આપી હતી. એ સમયે જજ સી કે ઠક્કર દ્વારા ફેંસલો આપવામાં આવ્યો કે BCCI દ્વારા IPLની ટીમને 4800 કરોડ રૂપિયા આપવામાં આવે. ત્યાર બાદ આ નિર્ણયને લઈ BCCI એ ચેતવણી આપી હતી. હવે આ આદેશને જસ્ટિસ એસ પટેલે નકારી દીધો હતો. જેથી હવે BCCI આ કેસ જીતી ગઈ છે.
અત્યાર સુધીમાં 1097 ખેલાડીઓએ આઈપીએલ 2021માં રજિસ્ટ્રેશન કરાવ્યું છે
IPL 2021 માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થઈ હતી. જે હરાજીમાં સામેલ થવા માટે કુલ 1097 ખેલાડીઓે પોતાનું નામાંકન કરાવ્યું હતું. જેમાથી 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડીઓ છે. લિસ્ટમાં સામેલ થનાર ખેલાડીઓમાં 863 અનકેપ્ડ છે જ્યારે 207 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે. આઈપીએલની 14મી સિઝનમાં અમુક નવા ખેલાડીઓ સામેલ થવા જઈ રહ્યાં છે જ્યારે અમુક દિગ્ગજ ખેલાડીઓ માટે આ છેલ્લી સિઝન હોઈ શકે છે.
ધોનીની આ છેલ્લી આઇપીએલ હોઈ શકે
ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વખત ચેમ્પિયન બનાવનાર 40 વર્ષિય ધોની માટે આ સિઝન છેલ્લી હોઈ શકે છે. જોકે ધોની અંગે ધારણા કરવી થોડી અઘરી છે કેમકે તેનાં નિર્ણયો હંમેશા સસ્પેન્સથી ભરપૂર હોય છે. ચેન્નાઈ માટે આઈપીએલની લાસ્ટ સિઝન ખૂબ ખરાબ રહી હતી. ચેન્નાઈની ટીમ આઈપીએલનાં ઈતિહાસમાં પહેલીવાર પ્લોએફ માટે ક્વોલિફાય નહોતી થઈ શકી. ચેન્નાઈએ 14 મેચોમાં 6 જીત સાથે 12 અંક પ્રાપ્ત કર્યાં હતા. છેલ્લી મેચ જીતીને ધોનીએ કહ્યું હતું કે ટીમને પોતાના કોર ગ્રૂપમાં ફેરફાર કરવાની જરુર છે. સાથે તેણે કેપ્ટન્સી છોડવાનાં પણ સંકેત આપ્યા હતા. પણ આઈપીએલની 14મી સિઝનમાં ધોની જ કપ્તાની કરતો જોવા મળશે.