ભાડા પર બેસમેન્ટ પર લૉકર રાખનારી બેંકો પર ટૂંક સમયમાં સીલ લાગી શકે છે. સુપ્રીમ કોર્ટની તરફથી બનેલી 3 સભ્યોની કમિટીએ દેશભમાં સ્થિત તમામ સ્થાનીય સંસ્થાઓને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના ક્ષેત્રમાં રહેલી આવી બેંકોની શાખાઓના તે હિસ્સાઓને સીલ કરી દે જેના લૉકર બેસમેન્ટમાં છે.
30 જૂન સુધી ખાલી કરવાનો આપ્યો હતો આદેશ:
આ પહેલા માર્ચમાં આ કમિટીએ તમામ બેંકોને આવી જગ્યા ખાલી કરવા માટે 30 જૂન સુધીનો સમય આપ્યો હતો પરંતુ નક્કી કરેલી સીમા વીતી જવા પર હજુ પણ દેશની ઘણી બેંકોની શાખાઓએ લૉકર બેસમેન્ટમાં જ રાખ્યાં છે.
સીલ કર્યા પહેલા આપવામાં આવશે નોટિસ:
કમિટીએ તમામ સ્થાનીય સંસ્થાઓને આદેશ આપ્યો છે કે લૉકરવાળા હિસ્સાને સીલ કરતા પહેલા નોટિસ મોકલવામાં આવે જેનાથી બેંકના ગ્રાહકોનો કોઇપણ પ્રકરાની મુશ્કેલીનો સામનો ના કરવો પડે. આદેશનું પાલન ના કરવા પર બ્રાન્ચ મેનેજર અને અન્ય કર્મચારીઓને વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે.