બેંકિંગ સેવાઓ સામાન્ય નાગરિકો માટે મોંઘી થઇ શકે છે. તાજેતરમાં જ સરકારે બેંકો દ્વારા ગ્રાહકોને મફતમાં મળતી વિભિન્ન સેવાઓ પર GST લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો આમ થયું તો આવનારા સમયમાં ચેકબુક ATM વિડ્રોલ અને ક્રેડિટ કાર્ડ પર ચાર્જ લાગી શકે છે. આ સાથે જ ફ્યૂલ સરચાર્જ પર મળતા રિફન્ડ પણ બંધ કરવામાં આવી શકે છે. જોકે આ ચાર્જ કેટલો હશે તે બેંકો પર આધાર રાખે છે.
18% લાગી શકે છે GST:
ઉલ્લેખનીય છે કે બેંક મિનિમમ બેલેન્સ મેન્ટન કરવા પર ગ્રાહકોને ઘણી સેવાઓ નિશુલ્ક ઉપલબ્ધ કરાવે છે. જોકે વાસ્તવમાં આ મફતમાં નથી. બેંક તેના માટે ઘણા ચાર્જ આપે છે. એક રિપોર્ટ અનુસાર સરકાર ચેકબુક ATM ક્રેડિટ કાર્ડ જેવી ફ્રીમાં મળતી સેવાઓને GSTના દાયરામાં લાવવાની તૈયારીમાં છે. સરકાર આ સેવાઓ પર 18% GST લઇ શકે છે. સરકારના આ પગલાથી ચિતિંત બેંકોએ તેનો ભાર ગ્રાહકોને પર નાખવાનો નિર્ણય લીધો છે. એક મલ્ટીનેશનલ બેંકના અધિકારીએ જણાવ્યુ કે અમે ગ્રાહકો પાસેથી GST વસૂલવાની તૈયારીમાં છીએ. ગ્રાહકોની પાસેથી વસૂલવામાં આવેલી રાશિથી અમને કોઇ ફાયદો નહી થાય આ રાશિ સરકારના ખાતામાં જશે.
પહેલા રાખવામાં આવ્યું હતુ GSTની દાયરાની બહાર:
ઓક્ટોબરમાં થયેલી ચર્ચા અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે 19 બેંકોનો નોટિસ જારી કરીને ગ્રાહકોને ફ્રીમાં ઉપલબ્ધ કરાવતી આ સેવાઓને બદલે 150 બિલિયનથી વધારે રકમ ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. બેંક અધિકારીએ જણાવ્યુ કે જો તેના પર વ્યાજ અને પેનલ્ટી લગાવવામાં આવે તો આ કિંમત લગભગ 350 મિલિયન સુધી પહોંચી શકે છે. આ પહેલા એપ્રિલમાં CBICએ બેંકિંગ સેક્ટરમાં લાગૂ થનારા GST માટે 32 પેજનું એક ડોક્યૂમેન્ટ જારી કર્યુ. જેમાં કહેવામાં આવ્યુ કે ''ATM વિડ્રોલ ચેકબુક જેવી મફત સેવાઓ તેમાં પ્રભાવિત નહી થાય.''