બેંક મર્જર વિરૂદ્ધ 27 માર્ચે બેંક કર્મચારીઓ હળતાળ રાખવાના છે. બેંકિંગ સેક્ટરની બે મોટી યૂનિયનોએ 10 બેંકોના મર્જર વિરૂદ્ધ હળતાળ કરવાની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશને આ હળતાળની જાહેરાત કરી છે. 27 માર્ચે બેંકોની હળતાળ છે જ્યારે તેની બીજા દિવસ મહિનાનો ચોથો શનિવાર અને પછી રવિવાર હોવાને કારણે બેંકો ત્રણ દિવસ બંધ રહેશે.
બેંકોમાં આ દિવસે છે હળતાળ
માર્ચમાં આ 3 દિવસ બંધ રહેશે બેંકો
અગત્યના કામ આ તારીખ પહેલાં પતાવી લેજો
જ્યારે ગુડી પાડવા, તેલૂગુ ન્યૂયરને કારણે ઘણાં શહેરોમાં 25 માર્ચે પણ બેંકો બંધ રહેશે. 26 માર્ચે બેંકો ચાલુ રહેશે. એવામાં ગ્રાહકોને જો કોઈ જરૂરી કામ છે તો પહેલાં જ પતાવી લેવું.
જો તમને કેશની જરૂર છે તો પહેલાં જ તેની વ્યવસ્થા કરી લો કારણ કે ત્રણ દિવસ બેંક બંધ રહેવાથી એટીએમ પર પણ કેશની કમી આવી શકે છે. દેશની 10 સરકારી બેંકોના મર્જર પછી 1 એપ્રિલથી 4 બેંકોમાં પરિવર્તિત થઈ જશે. બેંકોના આ વિલિનીકરણથી બેંક કર્ચચારીઓ નાખુશ છે. બેંક કર્મચારીઓનું માનવું છે કે, આ વિલિનીકરણ ન થવું જોઈએ.
10 બેંકોના વિલિનીકરણ બાદ 4 બેંકો એપ્રિલ સુધી અસ્તિત્વમાં આવી જશે. આ બધી જ બેંકોના નવા નામ અને લોકોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પીએનબીમાં ઓબીસી અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના મર્જર પછી કર્મચારીઓની કુલ સંખ્યા 1 લાખને પાર થઈ જશે. સરકારે એપ્રિલ સુધી પંજાબ નેશનલ બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ ઈન્ડિયા સહિતની 10 બેંકો એપ્રિલ સુધી મર્જ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.