ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સત્સંગનો આ વીડિયો ઘણો જૂનો છે, જેમાં તેઓ કહેતા દેખાઈ રહ્યાં છે કે ગરીબોનુ કોઈ હોતુ નથી. માત્ર ભગવાન હોય છે. આ સાથે તેમણે બાળપણના અમુક કિસ્સા સંભળાવ્યાં.
'8 વર્ષ સુધી મેં ભીખ માંગી....'
બાળપણની કહાની જણાવતા ધીરેન્દ્ર શાસ્ત્રી રડી પડ્યા
મારા પરિવારે ખૂબ ગરીબીમાં પોતાનુ જીવન પસાર કર્યુ
દેશમાં નિયમોનુ પાલન માત્ર ગરીબે જ કરવુ પડે છે, અમીરોને નહીં
ગરીબીની ખૂબ મજાક ઉડાવવામાં આવે છે. આપણા દેશમાં નિયમોનુ પાલન પણ માત્ર ગરીબે જ કરવુ પડે છે, અમીરોને નહીં. ચલણ પણ કપાય છે, તો માત્ર ગરીબોનુ. માસ્ક પણ પહેરવુ પડે છે તો માત્ર ગરીબે. આ વાત કહેતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રડી પડ્યા.
મેં 8 વર્ષ સુધી ભીખ માંગીને જીવન પસાર કર્યુ: ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીના સત્સંગનો એક વીડિયો સામે આવ્યો, જે થોડા મહિના જૂનો છે. આ સત્સંગમાં બાગેશ્વર સમર્થકો સાથે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનુ બાળપણ યાદ કરવા લાગ્યા અને જણાવ્યું કે તેમના પરિવારે ખૂબ ગરીબીમાં પોતાનુ જીવન પસાર કર્યુ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશના છત્તરપુરના એક બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે અને ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમણે જણાવ્યું કે પિતાજી કઈ કરતા નહોતા. જેના કારણે તેમણે 8 વર્ષ સુધી ભીખ માંગીને જીવન પસાર કર્યુ. આ કહેતા ધીરેન્દ્ર શાસ્ત્રી ભાવુક થયા કે બાળપણની અમુક યાદો આજે પણ તેમના હૃદયને હલાવી નાખે છે.
ગરીબ ઘરમાંથી આવતા હોવાને કારણે તેઓ વિરોધ કરી શકતા નહોતા
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે બાળપણથી તેમને તિલક લગાવવાની આદત હતી, પરંતુ શાળાના અમુક બાળકો બળજબરીપૂર્વક તેમના વાળ પકડીને તિલક ભુસી નાખતા હતા. તેઓ વિરોધ નહોતા કરી શકતા, કારણકે તેઓ ગરીબ ઘરમાંથી આવતા હતા. તહેવારના સમયે પણ મિત્રો નવા કપડા પહેરતા હતા. પરંતુ તેમની પાસે માત્ર એક જ કપડા હતા.