વધતા કોરોનાના કારણે નોકરી કરનારા માટે ખતરો વધ્યો છે. 11 એપ્રિલ 2021ના ખતમ થનારા અઠવાડિયામાં બેરોજગારીનો દર 8.6 ટકા થયો છે જે ચિંતાનો વિષય છે.
ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘાતક બની કોરોનાની બીજી લહેર
નોકરી કરનારા માટે વધી રહ્યો છે ખતરો
એપ્રિલમાં વધ્યો બેરોજગારીનો દર
કોરોના સંકટની વચ્ચે દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકો પર મુસીબતનો હુમલો ચારે તરફથી થઈ રહ્યો છે. એક તરફ કોરોના વાયરસથી લોકોમાં ફરી ડરનો માહોલ બની રહ્યો છે તો અન્ય તરફ Retail Inflation ફરી વધવાનું શરૂ થયું છે. આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે રોજગારને લઈને પણ નિરાશા જનક રિપોર્ટ સામે આવ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટના અનુસાર 11 એપ્રિલ 2021ના સપ્તાહના અંતમાં બેરોજગારીનો દર 8.6 ટકા થશે, જે 2 અઠવાડિયા પહેલા 6.7 ટકા રહ્યો હતો.
શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ગ્રામીણ વિસ્તારો કરતા વધારે
કોરોનાના વધવાની સાથે જ્યાં લોકડાઉનની આશંકા વધી છે ત્યાં નોકરીને ગુમાવવાનો ખતરો પણ વધી રહ્યો છે. સીએમઆઈઈના રિપોર્ટ અનુસાર લોકોમાં ફરી એકવાર નિરાશા વધી છે. ગયા વર્ષે કોરોના સંકટના કારણે લાગેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું ત્યારે લાખો લોકોની નોકરીઓ ગઈ હતી અને કરોડોનો રોજગાર પણ ઠપ થયો હતો. હવે કોરોનાની સેકંડ વેવના કારણે નોકરી પર ફરીથી ખતરો વધ્યો છે. વધતી બેરોજગારીના દરના આધારે કહી શકાય છે કે લોકોમાં ડર પણ એક કારણ છે. એપ્રિલમાં શહેરી વિસ્તારની બેરોજગારીનો દર 8 ટકા થયો છે. જ્યારે માર્ચમાં આ દર 7.84 ટકા થયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 6.7 ટકા રહ્યો છે.
ઘરે પરત ફરી રહ્યા છે પ્રવાસી શ્રમિકો, ઈ કોમર્સ કંપનીમાં ઉછાળાની આશા
કોરોના સંકટના કારણે 2020માં પ્રવાસી શ્રમિકો પોતાના વતન પરત આવ્યા હતા. લોકડાઉનમાં ઢીલાશ બાદ અર્થવ્યવસ્થા પાટા પર આવતી જોવા મળી અને સાથે 2 મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થતાં લોકો ફરીથી વતન તરફ દોટ મૂકી રહ્યા છે. આ સાથે સારા સમાચાર એ પણ છે કે ઈ કોમર્સ કંપનીઓ નવી નોકરી લાવવાની તૈયારીઓ કરી રહી છે. કોરોનાના વધતા કેસને લઈને ફરી ઈ-કોમર્સ કારોબારમાં ઉછાળો આવી શકે છે. એવામાં તમામ કંપનીઓ મુશ્કેલ સમયમાં ફરી લોકોને ઘરે બેઠા જરૂરી સામાન પહોંચાડવાની તૈયારી કરી રહી છે.