બાબા વેંગાએ 2022માં ભારતમાં ભૂખમરાની ભવિષ્યવાણી કરી હતી. તેમની 2022 માટે કરેલ ભવિષ્યવાણીઓમાંથી 2 અત્યાર સુધી સાચી પડી છે.
બાબા વેંગાની 2022 માટે 2 ભવિષ્યવાણીઓ સાચી પડી છે
ભારતમાં ભૂખમરાની પણ કરી હતી ભવિષ્યવાણી
અમૂક એશિયાના દેશોમાં પૂરની હતી બાબા વેંગાની ભવિષ્યવાણી
બુલ્ગારિયામાં જન્મેલ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઇ ચુકી છે. બાબા વેંગાએ આજથી 111 વર્ષ પહેલા જ આ ભવિષ્યવાણીઓ કરી હતી, જેને લઈને દુનિયામાં ડરનો માહોલ છે. જણાવી દઈએ કે બાબા વેંગાએ વર્ષ 2022 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેમાંથી અત્યાર સુધી 2 સાચી સાબિત થઇ છે, જ્યાર બાદ હવે 2023ની ભવિષ્યવાણીની ચર્ચાઓ થઇ રહી છે.
2023માં બદલાઈ જશે પૃથ્વીની કક્ષા
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ અનુસાર, વર્ષ 2023માં પૃથ્વીની કક્ષા બદલાઈ જશે, જેના ગંભીર પરિણામો હોય શકે છે. આ ઉપરાંત, વર્ષ 2028માં એસ્ટ્રોનોટ શુક્ર ગ્રહની યાત્રા કરશે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2046માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની મદદથી લોકો 100 કરતા વધારે વર્ષો સુશી જીવિત રહી શકશે.
આ વર્ષે ભારતમાં ભૂખમરાની ભવિષ્યવાણી
રીપોર્ટસ અનુસાર, બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીઓમાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરમાં તાપમાનમાં ઘટાડો થશે અને આ કારણે તીડોણો પ્રકોપ વધી જશે, જે ભારત પર પણ હુમલો કરશે. આ કારણે પાકને ગંભીર નુકસાન થશે અને અકાળ જેવી પરિસ્થિતિ પણ પેદા થઇ શકે છે. આ ઉપરાંત, ભારતમાં ભીષણ ભૂખમરાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ વર્ષે 2 ભવિષ્યવાણીઓ સાચી પડી છે
બાબા વેંગાએ વર્ષ 2022 માટે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી 2 સાચી સાબિત થઇ છે. બાબા વેંગાએ ઓસ્ટ્રેલીયા ઉપરાંત અમૂક એશિયાના દેશોમાં પૂરને લઈને ભવિષ્યવાણી કરી હતી અને ઓસ્ટ્રેલીયામાં તો પૂર જ્રવી સ્થિતિ આવી ગઈ છે, જ્યારે પાકિસ્તાનમાં પૂરને કારણે 1 હજાર કરતા વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ ઉપરાંત, તેમણે ઘણા શહેરોમાં પાણીની અછતની પણ ભવિષ્યવાણી કરી હતી અને પોર્ટુગલમાં પાણીની અછત છે, જ્યારે ઇટલીમાં પણ આ જોવા મળે છે.