દેશમાં હાલ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલમાં જ બોલિવૂડના લકી ચાર્મ કહેવાતા એક્ટર આયુષ્માન ખુરાનાએ લોકડાઉન અને ઘણી જગ્યાઓ સીલ કરવાને લઈને એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં આયુષ્માન કવિતા દ્વારા ગરીબોના દર્દ વિશે વાત કરી રહ્યો છે.
આયુષ્માને સોશિયલ મીડિયા પર હાલમાં જ એક અદભૂત વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું- પેલી સામેવાળી બિલ્ડિંગ થોડાં દિવસ પહેલાં જ સીલ થઈ ગઈ છે. ત્યારથી જ આસપાસના લોકોનું જીવન બદલાઈ ગયું છે. આ જ બિલ્ડિંગની નીચેવાળી દુકાનમાંથી તો સામાન આવતો હતો.
આયુષ્માન વીડિયોમાં આગળ કહે છે, આ બીમારી વિશે થોડાં દિવસ પહેલાં જણાવી દેતા તો શું થતું. આજે અમે ડરી ગયા છે. જીવી રહ્યાં છે પણ મરી ગયા છએ. એવું લાગે છે કે, કાશ દુનિયાને રિવાઈન્ડ કરીને બધું ઠીક કરી દઈએ. સલામ છે એવા લોકોને જે રસ્તાઓની સફાઈ કરે છે, કચરો ઉપાડે છે, ઘરનો સામાન લઈને આવે છે અને પછી પોતાના ઘરે જાય છે. પણ આપણે આ લોકોને સન્માન આપતા નથી. આપણે પૈસાવાળા છીએ, આપણાં બાપનું શું જાય છે. આયુષ્માન ખુરાનાના આ વીડિયો પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે અને પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આયુષ્માનની આ કવિતા હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. ફેન્સની સાથે સાથે આ કવિતાને બોલિવૂડ સેલેબ્સને પણ પસંદ આવી છે. આ પહેલા પણ આયુષ્માન કવિતા લખી ચૂક્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં જ આયુષ્માનની ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા સાવધાન રિલીઝ થઈ હતી, જે ગે લવ સ્ટોરી પર આધારિત હતી. હવે આયુષ્માન ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગુલાબો સિતાબોમાં જોવા મળશે.