રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના મુખ્ય પક્ષકાર સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ ઉત્તર પ્રદેશે આ મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા શનિવારે કહ્યું કે તે આ નિર્ણયને પડકારશે નહીં. બોર્ડના અધ્યક્ષ જુફર ફારુકીએ 'ભાષા' સાથેની વાતચીતમાં કહ્યું કે તે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. અને બોર્ડનો આ નિર્ણયને પડકારવાનો કોઇ વિચાર નથી.
ફારુકીએ કહ્યું કે વકફ બોર્ડ હાલ કોર્ટના નિર્ણયનું અધ્યયન કરી રહ્યું છે
એમણે કહ્યું કે જો કોઇ વકીલ અથવા અન્ય વ્યક્તિ બોર્ડની તરફથી કોર્ટના નિર્ણયને પડકાર આપવાની વાત કહી રહ્યું છે તો તેને યોગ્ય માનવામાં આવશે નહીં.
નોંધનીય છે કે સુન્ની વકફ બોર્ડના વકીલ જફરયાબ જીલાનીએ દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અયોધ્યા મામલામાં કોર્ટના નિર્ણયને પડકારવામાં આવશે. જોકે, જીલાનીએ બાદમાં ભાષા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે તે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની પત્રકાર પરિષદ હતી અને તેમણે એ વાત બોર્ડના સચિવની હેસિયતથી કહી હતી, ન વકફ બોર્ડના વકીલની હેસિયતથી.
ફારુકીએ કહ્યું કે વકફ બોર્ડ હાલ કોર્ટના નિર્ણયનું અધ્યયન કરી રહ્યું છે. ત્યારબાદ તેના પર વિસ્તૃત નિવેદન આપશે. નોંધનીય છે કે બોર્ડે અયોધ્યા મામલામાં ગઠિત મધ્યસ્થતા સમિતિને ગત માસ પ્રસ્તાવ આપ્યો હતો કે તે કેટલીક શરતોના આધારે વિવાદીત સ્થળથી પોતાનો દાવો છોડવા તૈયાર છે.
સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાના મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સ્પષ્ટ કરતા સરકારને નિર્દેશ આપ્યો હતો કે તે અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે કોઇ પ્રમુખ સ્થાન પર પાંચ એકડ જમીન આપે.