રામ મંદિરના ભૂમિપૂજનના શુભમૂહૂર્ત માટે 5 ઓગસ્ટે પીએમ મોદી ભૂમિપૂજન માટે અયોધ્યા જશે તેમ કહેવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ચૂક્યા બાદ ટ્રસ્ટે અનેક નિર્ણયો લીધા છે. તેમાં પ્રસ્તાવિત મંદિરના નક્શાને પણ મહત્વ અપાયું છે. રામમંદિરમાં હવે આ ખાસિયતોને મહત્વ આપવામાં આવશે.
રામમંદિર માટે તૈયાર થયું નવું મોડલ
આ સુવિધા અને ખાસિયતો સાથે તૈયાર થશે રામમંદિર
5 ઓગસ્ટે પીએમ મોદી અયોધ્યા ભૂમિપૂજન માટે જાય તેવી શક્યતા
ગર્ભગૃહ, કૌલી, રંગમંડપ, નૃત્ય મંડપ અને સિંહ દ્વારમાં હશે દરવાજા.
મંદિરનું મુખ્ય દ્વાર મકારાનાના સફેદ સંગેમરમરથી તૈયાર કરાશે.
ગર્ભગૃહની ઉપર 16.3 ફીટનો પ્રકોષ્ઠ બનશે. તેની પર 65.3 ફૂટના શિખરનું નિર્માણ કરાશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે સોમપુરા જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ તેઓએ જ બનાવ્યું હતું. મંદિર બનાવવામાં રૂપિયાની કોઈ કસર રહેશે નહીં. સમાજના 10 કરોડ પરિવારોથી રૂપિયા ભેગા કરાશે. પછી મંદિરનું નિર્માણ કરાશે. મંદિરના ભૂમિપૂજન માટે પીએમ મોદી તરફથી 5 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે બેઠકમાં રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાની સાથે ટ્રસ્ટના 11 ટ્રસ્ટી પણ હાજર રહ્યા હતા. જ્યારે 4 સભ્યો વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમામં સામેલ થયા હતા. મંદિર નિર્માણ માટેની ભૂમિપૂજનની તારીખ 5 ઓગસ્ટ નક્કી થઈ છે. તેઓએ કહ્યું કે બેઠકમાં દરેક સભ્યોએ રામ મંદિરના નિર્માણને લઈને પ્રસન્નતા જાહેર કરી હતી. સાથે જમીનના અવશેષોને પણ તપાસ્યા કે માટીની તાકાત કેટલી છે. જો કે તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે કે તેનો પાયો કેટલો રાખવામાં આવે.