ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આજે દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા છે. ત્યારે તેમણે સૌને દીપોત્સવની શુભકામનાઓ આપી. દિવાળી પર અયોધ્યા ભગવાન રામના રંગમાં રંગાયું છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંબોધન બાદ દીવડા પ્રગટાવવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે. ત્યાં 5.5 લાખ દીવડાને પ્રગટાવવામાં આવશે, જે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.
5.51 લાખ દીપ પ્રગટાવવીને ઐતિહાસિક દિવાળી મનાવનારી યોગી સરકાર વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે
યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ દીપોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત
આજે એક શુભ દિવસ, ભગવાન રામનો રાજ્યાભિષેક થયોઃ સીએમ યોગી
સરયૂ ઘાટ પર શનિવારે 5.51 લાખ દીવડાથી અયોધ્યા ઝગમગી ઉઠી છે. ઐતિહાસિક દિવાળી મનાવનારી યોગી સરકાર વિશ્વ રેકોર્ડ રચ્યો છે. તો બીજી તરફ અયોધ્યાની જનતા અને વિદ્યાર્થીઓ પણ દીપ પ્રગટાવીને સમગ્ર અયોધ્યાને જગમગાવી છે. અયોધ્યામાં આ વખતે અલગ જ રોનક જોવા મળી રહી છે.
અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના નેતાઓ અને સંતો હાજર રહ્યા. મહત્વનું છે કે, યોગી સરકારે અયોધ્યામાં દીપોત્સવને રાજ્ય મેળાનો દરજ્જો આપ્યો છે. રાજ્ય સરકાર તમામ સમારોહનો ખર્ચ ઉઠાવશે.
Chief Minister Yogi Adityanath and Governor Anandiben Patel participate in 'Deepotsava' celebrations in Ayodhya. pic.twitter.com/mjhcQF2XBq
આજે એક શુભ દિવસ, ભગવાન રામનો રાજ્યાભિષેક થયોઃ સીએમ યોગી
આજે એક શુભ દિવસ છે, ભગવાન રામનો રાજ્યાભિષેક સંતો દ્વારા થયો છે. 226 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે. ભારતની સાંસ્કૃતિક પરંપરાને પીએમ મોદીએ વિશ્વ પટલ પર ફરી એકવખત સ્થાપિત કરી છે. જેના માટે પીએમનો આભાર માનું છું.
વધુમાં તેમણે કહ્યું કે, રામની પરંપરા પર આપણને સૌને ગર્વની અનુભૂતિ થાય છે. પીએમ મોદીએ રામ રાજ્યની ધારણાને સાકાર કરી છે. શાસનની યોજનાઓ વીના જાતિ, પંથ અને કોઇ ભેદભાવ વગર સૌ સુધી પહોંચડવામાં આવી.
ભારતે કોઇને પરેશાન નથી કર્યું, પરંતુ કોઇ તેને છંછેડે તો તેમના ઘરમાં ઘુસીને જવાબ આપી રહ્યા છે. પહેલાની સરકારો અયોધ્યાના નામથી ડરતી હતી, પરંતુ પોતાના કાર્યકાળ દરમિયાન દોઢ ડઝન વખત અહીં આવી ચૂક્યો છું.
7 દેશોની રામલીલા લોકોના આકર્ષણનું કેન્દ્ર
રામનગરીમાં 7 દેશોની રામલીલા લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. અહીં લેઝર શો દ્વારા રામકથાના પહેલુને દેખાડવામાં આવશે. સાંજે 7થી 7.30 વચ્ચે દિપોત્સવનું આયોજન કરવામાં આવશે. તે પૂર્વે સરયૂ તટ પર આતશબાજીની સાથે સાથે વિવિધ કાર્યક્રમો પણ થશે.
શાળાના બાળકોની મહત્વની ભૂમિકા
રામનગરીના રામના રંગમાં રંગાવા માટે હજારો શાળાના બાળકોની મહત્વની ભૂમિકા રહી છે. બાળકોએ ભગવાન રામના જીવન પર આધારિત ચિત્રકારીથી અયોધ્યાને અલૌકિક બનાવી દીધું છે.
છેલ્લા બે વર્ષથી અયોધ્યામાં ઐતિહાસિક દિવાળી મનાવનાર યોગી સરકાર આ વખતે રેકૉર્ડ બનાવવા જઇ રહી છે. આજે અયોધ્યામાં એક સાથે 5.5 લાખ દીવડા પ્રગટાવીને જૂનો રેકૉર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે
Ayodhya: Arrangements underway at Saryu Ghat for 'deepotsav' that will be held today evening. Over 5.50 lakh earthen lamps will be lit during the event. #Diwalipic.twitter.com/1jZFFm1PJ1
દર વર્ષની જેમ આ વખતે પણ અયોધ્યાના આકાશમાંથી પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટર રામ, સિતા અને લક્ષ્મણ અયોધ્યા પહોંચ્યા. રામ કથા પાર્કમાં તેમના પર ફૂલોની વર્ષા થઇ. ખુદ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું. રામ, સીતા અને લક્ષ્મણનું પ્રતીક બનેલા કલાકારોની આરતી પણ ઉતારવામાં આવી.