પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અસ્થિઓ દેશભરમાં ઘણી નદીઓમાં વિસર્જિત કરવામાં આવશે અને એની શરૂઆત આજથી એટલે કે રવિવારથી હરિદ્વારમાં ગંગા નદીમાં એમની અસ્થિઓની વિસર્જન સાથે થશે. આ અસ્થિ કળશ યાત્રામાં સામેલ થવા માટે 200 બસોમાં 15000 ભાજપ કાર્યકર્તાઓ દેહરાદૂનથી હરિદ્વાર પહોંચ્યા છે.
ઉત્તરાખંડ સરકારાના કેટલાક મંત્રી અસ્થિ કળશ યાત્રામાં સામેલ છે. અમિત શાહ. રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ પણ હાજર છે. વાજપેયીના પરિવાર અને સગાસંબંધી દ્વારા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળેથી તેમની અસ્થિ એકત્ર કરવામાં આવી હતી. વાજપેયીની દીકરી નમિતા અને પ્રપૌત્રી નિહારીકા તેમની અસ્થિ એકત્ર કરવા માટે દિલ્લી સ્મૃતિ સ્થળે પહોંચ્યા હતા અને અસ્થિ એકત્ર કરી હતી.
#Uttarakhand: BJP President Amit Shah arrives at Dehradun's Jolly Grant Airport with the ashes of former PM #AtalBihariVajpayee. The ashes will be taken to Prem Ashram then to Har-ki-Pauri in Haridwar for immersion. HM Rajnath Singh will also be present during immersion of ashes pic.twitter.com/fsIn1d4BrZ
મધ્યપ્રદેશમાં આ અસ્થિ કળશ યાત્રા દરમિયાન તમામ 230 વિધાનસભાઓમાં શ્રદ્ધાંજલિ સભા પણ યોજાશે. વાજપેયી પર મધ્યપ્રદેશ ભાજપ 60 દિવસની કાર્ય યોજનાની તૈયારી પણ કરી રહ્યું છે. જેનો હેતુ વાજપેયીના જીવન સાથે સંકળાયેલી કેટલીક પળોને રજૂ કરવામાં આવશે.
ભાજપનું કહેવું છે કે આ યાત્રાનો ઉદ્દેશ વાજપેયીના જન્મ સ્થળથી લઈને ઈન્દોર ભોપાલ વિદિશા સહિત તમામ 230 વિધાનસભા સીટો પર અટલજીની યાદો સાથે સંકળાયેલી પળોને લોકો સુધી પહોંચાડાશે. ઉત્તરાખંડ સહિત દેશના અનેક રાજ્યોમાં પણ અસ્થિ કળશ યાત્રા નીકળશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.