સામાન્ય રીતે દરેક લોકો જાણે છે કે પાણી આપણા જીવન માટે કેટલું મહત્વપૂર્ણ છે અને એના વગર જીવન જીવવું અશક્ય છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી આપણી સાથે સાથે આપણી રોજીંદી લાઇફમાં આવતી પરેશાનીઓ માટે કેટલું મહત્વપૂર્ણ છે, જેના ઉપાય માત્રથી તમે લાઇફમાં થનારી દરેક પ્રકારની આર્થિક તંગીથી છુટકારો મેળવી શકો છો.
અમે જાણીએ છીએ આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે પાણી પણ તમને દરેક પ્રકારના ઉપાયો કરવાથી માલામાલ કરી શકે છે. પરંતુ આ સાચું છે. જી હાં આજે અમે તમને પાણીના એક એવા ઉપાય માટે જણાવી રહ્યા છીએ જેને અપનાવતા જ રાતોરાત માલોમાલ થઇ જશો.
સૌથી પહેલા તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર એક બાઉલમાં પાણી ભરીને એને છત પર રાખી મૂકો અને તડકો લાગ્યા બાદ પાણીને ભગવાનનું નામ લઇને કેરીના પાન પર છાંટી દો. માનવામાં આવે છે કે આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ના થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.
માન્યતા છે કે આવું કરવા માત્રથી મા લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે અને ઘરમાં તમને પૈસાથી થતી પરેશાનીઓથી મુક્તિ મળે છે સાથે જ ધનની વૃદ્ધિની સંભાવના વધી જાય છે, જેને તમે જોતજોતામાં જ માલામાલ થઇ જાવ છો.
આ ઉપરાંત તમે વૈવાહિક જીવનને સુખી બનાવવા ઇચ્છો છે તો વરસાદના પાણીને એક કાંચની બોટલમાં ભરીને બેડરૂમમાં રાખી દો. એનાથી બેડરૂમનું વાસ્તુ યોગ્ય રહે છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા નથી. આવું કરવાથી તમે એક સુખમય જીવન વીતાવી શકો છો.અને સાથે જ સંબંધોન યથાવત પણ રાખી શકો છો.