કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસના દેવઉઠી અગિયાર દેવપ્રબોધિની અગિયારસ દેવોત્થાન અગિયારસ કહેવામાં આવે છે. આ વર્ષે શુભ તિથિ 19 નવેમ્બર સોમવાર આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચર્તુમાસની નિદ્રામાંથી જાગ્યા હતી આ કારણથી આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શુભ અને માંગલિક કાર્યની શરૂઆત કરી શકાય છે. આ માટે શાસ્ત્રોના કેટલાક નિયમો બતાવવામાં આવે છે. માનવામાં આવે છે જો આ નિયમોનું પાલન ના કરવામાં આવે તો દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે અને નરકમાં સ્થાન મળે છે. જાણો અગિયારસના દિવસે કયા કામો ના કરવો જોઇએ.....
- ભગવાન વિષ્ણુના અગિયારસનું વ્રત સૌથી પ્રિય છે. પુરાણોમાં બતાવવામાં આવ્યુ છે કે જો આ દિવસે વ્રત ના કરી શકાય તો કાંદા- લસણ માંસ ઇંડા જેવા તામસિક પદાર્થનું સેવન ના કરવું જોઇએ. આમ કરવાથી નરકમાં સ્થાન મળે છે.
- શાસ્ત્રોમાં અગિયારસના દિસસે ચોખા કે ચોખાની વસ્તુઓ ખાવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. માન્યતા અનુસાર આ દિવસે ચોખા ખાવાથી સરિસૃપ જીવ યોનિમાં જન્મ થાય છે પરંતુ બારસના દિવસે ચોખા ખાવાથી આ યોનિમાંથી મુક્તિ મળી જશે. ભગવાન વિષ્ણુ અને તેમની કોઇપણ અવતારવાલી તિથિમાં ચોખાનો પ્રયોગ ના કરવો જોઇએ.
- અગિયારસના દિવસે બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઇએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનુ ફળ વધારે મળે છે આ માટે અગિયારસના દિવસે શારીરિક સંબંધ ના બાંધવો જોઇએ.
- અગિયારસના દિવસે મન શાંત રાખો અને તમારા ઘરે રહેતા બુઝુર્ગોનુ ધ્યાન રાખો. હિંદૂ ધર્મમાં અગિયારસ સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ઘરમાં શાંતિ અને ધીરજ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ માટે ભૂલથી પણ ઘરના શુદ્ઘ વાતારવણ ખરાબ ના થવા દો અને કંકાસ ના કરો.
- અગિયારસનો દિવસ ખૂબ જ પવિત્ર હોય છે જેથી તેને સૂઇ જવામાં વ્યર્થ ના કરો. આ દિવસે સવારે ઉઠીને ભગવાનનું નામ લો અને મંત્રોનો જાપ કરો.
- અગિયારસના દિવસે મદિરાનું સેવન કરવાથી બચવું જોઇએ. મદિરા મનુષ્યને અહંકારની તરફ લઇ જાય છે. અગિયારસના દિવસે મનુષ્યને અહંકાર ના રાખવો જોઇએ. કંસ અને રાવણની મૃત્યુ પણ અહંકારના કારણે થઇ હતી.
- અગિયારસના દિવસે કોઇની પંચાત ચોરી ક્રોધ અને ઝૂઠ ના બોલવું જોઇએ. આમ કરવાથી પરિવાર અને સમાજની ધૃણાની નજરથી જોવાય છે. અગિયારસના દિવસે આ કાર્ય ભૂલથી પણ ના કરવું જોઇએ જેનાથી ભગવાન નારાજ થાય.