વિધાનસભા સત્ર બાદ વિપક્ષ નેતા બદલાઈ શકે છે. હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે અને તેઓ હાઈકમાન્ડને પહેલીથી જ પોતાનું રાજીનામુ મોકલી દીધું છે. હાઈકમાન્ડે આ રાજીનામાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કે પરેશ ધાનાણીએ હાઈકમાન્ડમાં રજૂઆત કરી છે કે, વિપક્ષ નેતા તરીકે યુવા નેતાઓને પણ તક મળવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, એકાદ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસનું માળખું બદલાઈ શકે છે અને તેમાં મોટા ફેરફાર થઈ શકે છે. 8 મનપા શહેર પ્રમુખો અને 33 જિલ્લા પ્રમુખો બદલાશે. ત્યારે સંગઠનમાં હવે મોટા ફેરફાર થઈ શકે છે.