કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા રાધનપુર બેઠક ખાલી પડી હતી જેમાં તેની પોતાની જ મુશ્કેલીઓ વધી છે. કેમ કે, ઠાકોર સમાજ હવે અપક્ષને સહકાર આપવા તૈયારીઓ કરી રહ્યુ છે.
ગુજરાત વિધાનસભાની 7 બેઠકમાંથી 6 બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમાંય કોંગ્રેસમાંથી ભાજપમાં આયાતી ઉમેદવારોને સ્થાન આપવું કે, જૂના લોકોને, અથવા તો જેમને વાયદાઓ કરવામાં આવ્યા હતા તેમને સ્થાન આપવું આ અંગે અસંમજસ છે. લૂણાવડા, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હતી જ્યારે આજે વધુ બે બેઠક રાધનપુર અને બાયડ પર પણ પેટાચૂંટણી યોજાશે. જોકે મોરવા હડફની જાહેરાત હજુ બાકી છે.
અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો
અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક ઉપરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાતા તેની ભાજપમાંથી આ જ બેઠક માટેની દાવેદારી આ વખતે નક્કી થવી અઘરી છે કેમ કે, સાંતલપુર ઠાકોર સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને ઠાકોર સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા અને મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કર્યા છે. જેને લીધે અલ્પેશ ઠાકોરની મુશ્કેલમાં વધારો થઈ શકે છે. મગનજી ઠાકોર પણ આ વિસ્તારમાં ઠાકોર સમાજમાં વર્ચસ્વ ધરાવે છે અત્યાર સુધી રાધનપુર બેઠક પર ઠાકોર સમાજની નિર્ણાયક ભૂમીકા રહી છે.
કઈ કઈ બેઠક પર કરવામાં આવી છે તારીખો જાહેર
રાજ્યની થરાદ, ખેરાલૂ, અમરાઇવાડી, બાયડ, રાધનપુર અને લુણાવાડા બેઠકની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે કુલ છ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.
ક્યારે થશે ચૂટણી
ચૂંટણીપંચે 7 બેઠકોમાંથી 6 બેઠકોની જાહેરાત કરી હતી જેમાં 21 ઓક્ટબરે મતદાન યોજાવાની જાહેરાત કરી હતી. 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે 23 સપ્ટેમ્બરે પેટાચંટણીઓને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
અમરાઈવાડીમાં પાટીદારને મળશે ટિકિટ?
ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી. ભાજપ અને કોંગ્રેસ કોને આપશે ટિકિટ? આ અંગે મતમતાંતરો થઈ રહયા છે ત્યારે અમરાઈવાડીમાં ભાજપના 4 દાવેદાર અને કોંગ્રેસના 3 દાવેદાર મનાઈ રહ્યા છે પણ ત્યાં પાટીદાર ફેક્ટર પણ કામ કરશે.
અમરાઈવાડી બેઠક પર ભાજપના 4 દાવેદારના નામ
આશિત વોરા, મહેશ કસવાલા , સી.કે.પટેલ, અમુલ ભટ્ટના નામ અમરાઈવાડીની વિધાનસભાની બેઠકમાં દાવેદારી માટે હરિફાઈમાં મનાઈ રહ્યા છે.
અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસના 3 નેતા રેસમાં
કોંગ્રેસમાંથી અમરાઈ વાડીની બેઠક માટે ધર્મેશ પટેલ, ઈલાક્ષી પટેલ કોંગ્રેસના અરવિંદ ચૌહાણની દાવેદારી પાક્કી મનાઈ રહી છે.
ખેરાલુ બેઠક
ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી. ભાજપ અને કોંગ્રેસ બંનેને આ બેઠક ઉપરથી કોની ટિકિટ આપવી તે મુંઝવી રહ્યુ છે.
ભાજપમાંથી ભરતસિંહ ડાભીના ભાઇને ટિકિટ મળી શકે છે. લોકસભાની ચૂંટણી લડતા પૂર્વે પક્ષે ભરતસિંહને બાંહેધરી આપી હતી કે આ બેઠકની ટીકીટ તે તેમના ભાઈને જ આપશે. સામે રામસિંહ ડાભી અને કનકસિંહ ડાભીને ટિકિટ મળી શકે છે.
લુણાવાડા બેઠક પર ભાજપના 4 દાવેદારો
ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી. લુણાવાડા બેઠકમાં પણ ભારતના ચાર જયપ્રકાશ પટેલ, કાળુ માલીયાડ દાવેદાર છે.
જ્યારે જીગ્નેશ સેવક, જુવાનસિંહ ટિકિટની રેસમાં છે.
કોંગ્રેસમાંથી 3 આગેવાનો ટિકિટની રેસમાં છે જેમાં હીરાભાઈ પટેલ, કૌશિક જોષી અને પી.એમ.પટેલ દાવેદાર ગણાય છે.
થરાદ બેઠક પર કોને મળશે ટિકિટ?
થરાદ બેઠક ની વિધાનસભાની બેઠક ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભાની બેઠકમાં વિજેતા બનતા ખાલી પડી છે
આ ખાલી બેઠક અંગે ભાજપ અને કોંગ્રેસ બંને અસમંઝસમાં છે થરાદ બેઠક પર પણ ટિકિટને લઈને કોંકડું વધુને વધુ ગુંચવાઈ રહ્યુ છે. પૂર્વ MLA રમીલાબેન દેસાઈ ભાજપમાં ટિકિટના દાવેદાર છે. પણ પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું નામ પણ થરાદ બેઠક માટે ચર્ચામાં છે. જ્યારે પરબત પટેલના મોટા પુત્ર શૈલેષ પટેલ પણ દાવેદાર ગણાઈ રહ્યા છે અને કોંગ્રેસમાંથી માવજી પટેલ અને ડી.ડી.રાજપૂત પણ આ રેસમાં છે.