NRCનું ફાઇનલ લિસ્ટ થયું જાહેર, આસામના 41 લાખ લોકોનું ભાવિ થયું નક્કી, ગૃહ મંત્રાલયે જાહેર કરી એનઆરસીની ફાઈનલ યાદી. 19 લાખ 6 હજાર 657 લોકો યાદીમાંથી થયા બહાર.
NRCનું ફાઇનલ લિસ્ટ થયું જાહેર થઈ ચૂક્યું છે. જેમાં આસામના 41 લાખ લોકોનું ભાવિ થયું નક્કી કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે એનઆરસીની ફાઈનલ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાંથી 19 લાખ 6 હજાર 657 લોકો બહાર થયા છે.
આસામ એનઆરસીનું ફાઈનલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુહમંત્રાલયે ફાઈનલ યાદી જાહેર કરી છે. એનઆરસીના સ્ટેટ કોઓર્ડિનેટર પ્રતીક હજૈલાએ જણાવ્યું કે 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને એનઆરસીની ફાઈનલ યાદીમાં સ્થાન મળ્યું છે. જ્યારે 19 લાખ 6 હજાર 657 લોકોને બહાર કરવામાં આવ્યા છે. જે લોકો આ યાદીથી સંતુષ્ટ નથી તેઓ ફોરનર્સ ટ્રિબ્યુનલમાં પોતાની અપીલ દાખલ કરી શકે છે. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને 51 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
Prateek Hajela,State Coordinator,NRC: A total of 3,11,21,004 persons found eligible for inclusion in final NRC leaving out 19,06,657 persons including those who did not submit their claims.Those not satisfied with outcome can file appeal before Foreigners Tribunals. (file pic) https://t.co/HfgIsjZ6lr https://t.co/A73ATaijTC
1951માં આવ્યો પહેલો ડ્રાફ્ટ
આસામ એનઆરસીનું પહેલું લિસ્ટ 1951માં આવ્યું હતું. જ્યારે 30 જુલાઈ 2018ના રોજ ડ્રાફ્ટ પબ્લિશ થયો તો 40.7 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા હતા.
120 દિવસમાં એપ્લાય કરી શકશે લોકો
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે જે લોકોના નામ લિસ્ટમાં સામેલ નથી તેઓ ફોર્નર ટ્રિબ્યુનલમાં 120 દિવસમાં અપીલ કરી શકે છો. સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલમાં 51 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને સાથે કલમ 144 પણ લાગૂ કરવામાં આવી છે.
અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ થશે કાર્યવાહીઃ ડીજીપી
આસામના ડીજીપી કુલાધર સૈકિયાએ કહ્યું છે કે કોઈ વ્યક્તિ માહોલ બગાડવાની કે અફવા ફેલાવવાની કોશિશ કરે તો તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે એનઆરસીને અપડેટ કરવાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. અને અનેક મુસીબતો સાથે પોલિસ સુરક્ષા કાયમ રાખવાની કોશિશ કરી રહી છે.
એનઆરસીને લઈને ચિંતિત 55 વર્ષના અંજલી દાસે છેલ્લા 3 દિવસથી ખાવાનું ખાધું નથી અને સાથે જ પૂરતી ઊંઘ પણ લઈ શક્યા નથી. તેઓ કહે છે કે પહેલાંના 2 લિસ્ટમાં તેમનું અને તેમના પરિવારનું ક્યાંય નામ નથી. ફાઈનલ લિસ્ટ પહેલાં જ તેમના પરિવારના સદસ્યોના નામ હટાવી દેવામા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમની પાસે દસ્તાવેજ પણ છે અને પહેલાંની બે લિસ્ટમાં નામ ન હતું, હવે આવશે કે કેમ તે પણ પ્રશ્ન છે. અમને વિદેશી કહેવામાં આવી રહ્યા છે. મારા પેરન્ટ્સના નામ અને દરેક ચીજો અહીંની છે.
ક્લેરિકલ ભૂલનો શિકાર થયા હતા સાધન દાસ
અંજલિ અને તેના પરિવાર દસકાથી વધારે સમયથી અહીં રહે છે પણ તેમના પતિ સાધન દાસ ક્લેરિકલ ભૂલનો શિકાર બન્યા છે. જ્યારે તેમના પતિનું નામ ખોટું નોંધાયું તો તેઓએ તેને સુધારવા માટે 2 વાર અપીલ કરી. પણ તે સુધર્યું નથી. સાધન દાસ એક ખેડૂત છે અને આસામના મોરીગામના બોરખલના રહેવાસી છે.
માતા પિતા સાથે બાળકો પણ છે ચિંતિત
સાધન દાસના દીકરા સુનિલ દાસ અને તેમની દીકરી કમલા દાસ પણ એનઆરસીની લિસ્ટમાં નામ ન હોવાના કારણે ચિંતિત છે. સુનીલ દાસ કહે છે કે લિસ્ટમાં નામ ન હોવાની ચિંતામાં ખાવાનું પણ ખવાતું નથી, ઊંઘ આવતી નથી અને સાથે કામ પણ થતું નથી, જો લિસ્ટમાં નામ નહીં આવે તો ખબર નહીં શું થશે.કમલા દાસે કહ્યું અમે કેસ લડવામાં અને ડિગ્રી મેળવવવામાં ખૂબ રૂપિયા ખર્ચ કર્યા છે. અમારી પાસે હવે કંઈ બચ્યું નથી. અમે દુઃખી છીએ.
સરકારે આવનારા 120 દિવસમાં મૂળ આસામના રહેવાસીઓને અને તેમના પરિવારને શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત રિયાજુદ્દીને જણાવ્યું કે હું એક ખેડૂત છું અને સાથે મજૂરી કરું છું, છેલ્લા કેટલાક મહિનામાં એનઆરસીમાં નામ માટે મેં ઘણું કર્યું છે. જો મારા બાળકોના નામ એનઆરસીમાં નહીં આવે તો અમે શું કરીશું તે પ્રશ્ન છે.અમારા બાળકો નાગરિકતા વિનાના ગણાશે. હાલમાં આ અંગે અમે ચિંતિત છીએ.
NRC લિસ્ટમાં આ રીતે કરી લો તમારું નામ ચેક
1. સૌ પહેલાં તો NRCની વેબસાઈટ nrcassam.nic.in પર જાઓ.
2. હવે અહીં તમે એક ટેબ દેખાશે 'complete draft NRC is now active'
3. અહીં તમારો ARN નંબર ભરો. આ નંબર તમારા એનઆરસી ફોર્મના પહેલાં પાના પર હશે.
4. હવે તમને કેપ્ચા કોડ મળશે. તેને ભરો.
5. હવે જો તમારું નામ સ્ક્રીન પર આવે છે તો તેનો અર્થ એ છે કે તમારું નામ એનઆરસીના ફાઈનલ લિસ્ટમાં છે.
આસામમાં NRCબહાર પાડવાના સમય દરમિયાન શાંતિ અને વ્યવસ્થા રાખવા સુરક્ષા સઘન કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.NRCને રાજ્યમાં નાગરિકોને ગેરકાયદે બાંગ્લાદેશીઓથી બચાવવા માટે સુરક્ષા કવચ અને આસામની ઓળખના પુરાવા તરીકે જોવામાં આવે છે. રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરને લઇને સુપ્રીમ કોર્ટની હેઠળ અંદાજે ચાર વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી 31 ઓગસ્ટના રોજ સામે આવશે.