ક્રિકેટ ચાહકો એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા જઈ રહ્યા છે. એશિયા કપમાં બંને ટીમો ટકરાશે ત્યારે આ મેચને લઈને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફનું નિવેદન સામે આવ્યું છે
ભારત અને પાકીસ્તાનના મેચની આતુરતાથી રાહ
એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે
પૂર્વ કેપ્ટન રાશિદ લતીફનું નિવેદન સામે આવ્યું છે
ક્રિકેટ ચાહકો એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા જઈ રહ્યા છે. આ મેચ આ મહિનાથી સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાનારા એશિયા કપમાં રમાશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. આ બંને ટીમો છેલ્લે T20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા.
ભારતની ભૂલ પાકીસ્તાનને ફળી
ગયા વર્ષે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી. હવે એશિયા કપ મેચને લઈને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે ગત વખતે ટીમ ઈન્ડિયાની ભૂલથી પાકિસ્તાન જીત્યું હતું અને આ વખતે પણ (એશિયા કપ) પાકિસ્તાનની ટીમ ભારતની ભૂલને કારણે મેચ જીતશે. લતીફે એક યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, 'હાર જીત જે પણ થાય, પરંતુ જો રણનીતિની વાત કરીએ તો પાકિસ્તાની ટીમ મજબૂત લાગે છે. ટીમ ઈન્ડિયાએ એક વર્ષમાં 7 કેપ્ટન બદલ્યા છે. તેમને ટીમ બનાવવામાં મુશ્કેલી પડશે. તેની સાથે ખેલાડીઓ ચોક્કસપણે સારા છે, પરંતુ તે શ્રેષ્ઠ 16 બનાવવા માટે સક્ષમ નથી, તેથી પ્લેઈંગ ઈલેવનની પસંદગી તેના માટે એક પડકાર હશે.
ભારત ફરી તે ભૂલ કરશે
રાશિદ લતીફે વધુમાં કહ્યું કે, 'છેલ્લી વખતે પાકિસ્તાન જીત્યું હતું, તે ટીમ ઈન્ડિયાની ભૂલથી જીત્યું હતું. આ વખતે પણ પાકિસ્તાનની ટીમ ભારતની ભૂલને કારણે જીત નોંધાવશે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે રાજકીય મામલાઓને કારણે 2012થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. આઈસીસી ટૂર્નામેન્ટ કે એશિયા કપમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન હંમેશા એકબીજા સાથે ટકરાતા જોવા મળ્યા છે.