સગીર સાથે દુષ્કર્મ કરવા પર ફાંસીની સજાની જોગવાઈ કર્યા બાદ બાળકીઓની હત્યા કરવાના મામાલામાં વધારો થવાનો મુદ્દો ફરી એક વાર ગરમાઈ રહ્યો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે આપ્યું નિવેદન
રેપ બાદ ફાંસીની સજાથી હત્યાના ગુના વધ્યા હોવાનો દાવો
રેપ કર્યા બાદ પીડિત મહિલા કે બાળકીની થઈ જાય છે હત્યા
સગીર સાથે દુષ્કર્મ કરવા પર ફાંસીની સજાની જોગવાઈ કર્યા બાદ બાળકીઓની હત્યા કરવાના મામાલામાં વધારો થવાનો મુદ્દો ફરી એક વાર ગરમાઈ રહ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે દુષ્કર્મની ઘટનાને લઈને મોટુ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું છે કે, નિર્ભયા કાંડ બાદ જ્યારથી એ કરવામા આવ્યું છે કે, રેપિસ્ટને ફાંસીની સજા મળ્યા બાદ બાળકીઓની રેપ બાદ હત્યાઓ વધી ગઈ છે. તેમણે આગળ કહ્યું છે કે, રેપ કરનારા વિચારે છે કે, કાલે આ મારા વિરુદ્ધ સાક્ષી બની જશે અને તેનાથી બચવા માટે તે તેની હત્યા કરી નાખે છે.
Ashok Gehlot's statement is unfortunate. In last 3 yrs, Rajasthan has become the center for atrocities against young innocent girls.Nothing can be more unfortunate those changing the subject by making controversial statements to hide their failures: Union min Gajendra S Shekhawat
હકીકતમાં જોઈએ તો, કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે દેશભરમાં મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યા હતા. મુખ્યમંત્રી અશોક ગહલોત મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ દિલ્હીમાં કરેલા પ્રદર્શમાં સામેલ થવા ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેંમણે આ મુદ્દા પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે, દુષ્કર્મીઓને ફાંસીની સજાનો કાયદો અમલમાં લાવ્યા બાદ દુષ્કર્મ બાદ મહિલાઓની હત્યાઓના કેસમાં વધારો થયો છે. ગહલોતે મોંઘવારી અને બેરોજગારીને લઈને દિલ્હીમાં કેટલાય સવાલો ઉઠાવ્યા હતા.
રાજસ્થાનમાં બાળકીઓ પર રેપના આંકડા ડરામણા
અહીં ઉલ્લેખનિય છે કે, આ વાત પહેલા પણ ઘણા નેતાઓ ઉઠાવી ચુક્યા છે. પૂર્વમાં રાજસ્થાનમાં વસુંધરા રાજેના કાર્યકાળમાં જ્યારે વિધાનસભામાં તેને લઈને બિલ લાવવામાં આવ્યું ત્યારે પણ કેટલાય નેતાઓએ દુષ્કર્મ પીડિત બાળકીઓના મર્ડરના મામલામાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી હતી. એક રિપોર્ટ અનુસાર રાજસ્થાનમાં દર વર્ષ લગભગ 2000 જેટલી બાળકીઓ સાથે રેપ થાય છે. જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2022 સુધી સગીરવયની બાળકીઓ પર દુષ્કર્મના 4091 કેસ નોંધાયા હતા. તો વળી બે વર્ષમાં મહિલાઓ સાથે દુષ્કર્મના કુલ 11, 368 કેસ નોંધાયા છે. બે વર્ષમાં 26 કેસ એવા આવ્યા છે, જેમાં દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામા આવી છે.