ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:43 AM, 27 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ સચિન પાયલટનો કર્યો હતો વિરોધ
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં સમર્થક ધારાસભ્યો અને કોંગ્રેસ અલકામન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. સમાચાર છે કે ગેહલોતે આ મામલાને લઈને પાર્ટી નેતૃત્વની માફી માંગી છે, પરંતુ કથિત રીતે ગાંધી પરિવાર રાજસ્થાનમાં ચાલી રહેલા આ રાજકીય તણાવથી નારાજ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં તણાવ મુખ્યમંત્રીની ખુરશીને લઈને ચાલી રહ્યો છે. રવીવારે રાત્રે લગભગ ૮૦ ધારાસભ્યોએ પાયલટનાં સીએમ બનવા વિરુદ્ધ એક સુર મેળવ્યા હતા.
ADVERTISEMENT
#UPDATE | Jaipur: Rajasthan CM Ashok Gehlot meets Congress leader Mallikarjun Kharge
— ANI (@ANI) September 26, 2022
(File Pics) https://t.co/qIkYs2qKZ5 pic.twitter.com/jjbXmOl8c7
ADVERTISEMENT
ગેહલોતે મલ્લિકાર્જુન ખડગેની માફી માંગી
કોંગ્રેસને 'અપમાનિત' કરવાને લઈને ગાંધી પરિવાર ગેહલોતથી કથિત રીતે નારાજ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના સીએમએ સેન્ટ્રલ સુપરવાઈઝર મલ્લિકાર્જુન ખડગેની માફી માંગી છે. સાથે જ તેમણે ધારાસભ્યોનાં દળની બેઠકની સાથે જ અલગ મીટીંગ બોલાવવા અને પછી થયેલા બળવાને પણ 'ભૂલ' જણાવી છે.
ADVERTISEMENT
If CM Ashok Gehlot becomes Congress chief after Oct 19,he can empower himself over his own resolution. 2nd condition- they wanted to come in groups when we said that we shall talk to everyone individually;we made it clear that this isn't how it works,but they didn't accept: Maken pic.twitter.com/CKGskILK1D
— ANI (@ANI) September 26, 2022
ADVERTISEMENT
સમાચાર છે કે ગેહલોત કહે છે કે આવું નહોતું થવું જોઈતું. તે જ સમયે, તેણે સમગ્ર રાજકીય ઘટનાક્રમથી ખુદને દૂર કરી દીધા છે. તેમણે જાણકારી આપી છે કે ખડગેનું માનવું છે કે ગેહલોતનાં મામલામાં સામેલ ન હોવાના દાવા છતાં તેમની મંજૂરી વગર આવો બળવો સંભવ ન હતો.
રાજસ્થાનમાં રાજકીય બળવો
રવિવારે ગેહલોતનાં સમર્થક ધારાસભ્યોએ રાજીનામું આપવાની ધમકી આપી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ કરી દીધું કે પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને સીએમ તરીકે તેઓ સ્વીકાર નહીં કરે. આ ધારાસભ્યો કોંગ્રેસ નેતા ખડગે અને અજય માકન તરફથી બોલાવવામાં આવેલી બેઠકથી પણ ગાયબ રહ્યા અને જોશીનાં નિવાસસ્થાને પહોંચી ગયા.
ADVERTISEMENT

કેન્દ્રીય નેતૃત્વ પર સવાલ
માકને આ 'અનુશાસનહીનતા' જણાવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતા 'નારાજગી અને અપમાનિત' થયા છે. સાથે જ આ ઘટનાને ગાંધી પરિવારની પાર્ટી પરથી છૂટતી પકડના સંકેતનાં રૂપમાં પણ જોવાઈ રહી છે. મીડિયા રીપોર્ટસ અનુસાર, ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષના પદની રેસથી બહાર જોવા મળી રહ્યા છે. અધ્યક્ષ પદ માટે પાર્ટી મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહના નામ પર વિચાર કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ