આસારામ વિરૂદ્ધ નોંધાયેલ દુષ્કર્મ કેસની ફરિયાદ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. ત્યારે કોર્ટે આશારામને દોષિત જાહેર કર્યો છે. જ્યારે બાકીના છ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
આસારામ દુષ્કર્મ કેસનો મામલો
આસારામને દોષિત જાહેર
આશારામ ને આવતીકાલે સંભળાવશે સજા તેમજ
બાકીના છ લોકો નિર્દોષ જાહેર
આસારામ વિરુદ્ધ થયેલ દુષ્કર્મ કેસની ફરિયાદ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. મહત્વનું છે કે, સુરતની મહિલાએ આસારામ વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લગાવ્યા બાદ સુરતમાં 2013માં આસારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં તે કેસ ચાંદખેડા ટ્રાન્સફર થયો હતો. આ તરફ ચાંદખેડા કેસ ટ્રાન્સફર થતા ગાંધીનગરની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. બપોરે 3 વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો છે. બાકીના છ લોકો નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આશારામ ને આવતીકાલે કોર્ટ 11 વાગ્યે સજા સંભળાવશે.ઉલ્લેખનીય છે કે, આ કેસ સાથે જોડાયેલ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે જેને પગલે ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસનો આજે ચુકાદો આવી ગયો છે એ પણ જણાવી દઈએ કે, સુરત દુષ્કર્મનો કેસ ગાંધીનગર ટ્રાન્સફર થયો હતો.
નિર્દોષ છુટ્યા
ભારતીબેન
લક્ષ્મીબેન (આસારામના પત્ની)
નિર્મલાબેન લાલવાણી ઉર્ફે ઢેલ
મીરાબેન કાલવાણી
ધ્રુવબેન બાલાણી
જસવંતીબેન ચૌધરી
વકીલે વધુ માહિતી આપતા કહ્યું કે આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કલમ 342 ગેરકાયદે અટકાયત, કલમ 357 શારિરીક ઈજા, કલમ 376, 377 હેઠળ આરોપીને કોર્ટે દોષિત ગણાવ્યા છે. આસારામને વધુમાં વધુ સજા મળે તેવા પ્રયત્ન કરશુ.
શુ છે સમગ્ર મામલો?
આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે.
આસારામ અને નારાયણ સાંઈ ઉપર છે દુષ્કર્મનો આરોપ
અહી મહત્વનું છે કે, બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. અહી નોંધનીય છે કે, ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી.
જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ સગીરા સાથે રેપનાં આરોપમાં જેલમાં બંધ આસારામ બાપૂને કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.
છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.
ગાંધીનગર કોર્ટમાં ચાલતો કેસ શું હતો?
ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત
મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો
1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે થયું હતું શારીરીક શોષણ
આ કેસમાં મહિલાની નાની બહેને આસારામના દિકરા નારાયણ સાંઈ સામે ફરિયાદ કરી છે