અમિત શાહે નીતીશ કુમાર પર ભાજપ સાથે ગઠબંધન તોડવા માટે પ્રહારો કર્યા બાદ લાલુ યાદવે કહ્યું, અમિત શાહ સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે
બિહારની રાજનીતિમાં BJP-RJD વચ્ચે શબ્દયુદ્ધ ચરણસીમાએ પહોંચ્યું
અમિત શાહે નીતીશ કુમાર પર ભાજપ સાથે ગઠબંધન તોડવા માટે પ્રહારો કર્યા
RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો
બિહારની રાજનીતિને લઈને ભાજપ અને આરજેડી વચ્ચે શબ્દયુદ્ધ ચરણસીમાએ પહોંચ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ બિહારના શાસક ગઠબંધન અને નીતીશ કુમાર પર ભાજપ સાથે ગઠબંધન તોડવા માટે પ્રહારો કર્યા હતા. હવે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે. લાલુ યાદવે જણાવ્યું હતું કે, અમિત શાહ સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે.
લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને મળવાના એક દિવસ પહેલા મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સાથે આરજેડી વડાએ વિપક્ષી એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, અમિત શાહ સાવ પાગલ થઈ ગયા છે. તેમની સરકાર ત્યાં (બિહાર) દૂર કરવામાં આવી છે. ભાજપને 2024માં પણ હારનો સામનો કરવો પડશે. તેથી તે ત્યાં જઈને જંગલ રાજ અને તે બધી બાબતો વિશે વાત કરી રહ્યા છે. શું તેઓ ગુજરાતમાં હતા ત્યારે આવું કર્યું હતું ?
Bihar Chief Minister Nitish Kumar and RJD chief Lalu Prasad Yadav to meet Congress interim president Sonia Gandhi on September 25, in Delhi.
બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, જ્યારે અમિત શાહ ગુજરાતમાં હતા ત્યારે જંગલરાજ હતું. તેમણે કહ્યું કે, અમિત શાહ એકદમ પાગલ છે. 2024માં બીજેપી ફરી કેન્દ્રમાં અને પછી આવતા વર્ષે બિહારમાં સરકાર બનાવશે તેવા ગૃહમંત્રીના દાવા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે,અમે જોઈશું.
નોંધનિય છે કે, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રવિવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળે તેવી શક્યતા છે. નાદુરસ્ત તબિયતથી પીડિત લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, અમે વિપક્ષી એકતા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ તેમની બેઠકનો એજન્ડા હશે. મહત્વનું છે કે, શાહે શુક્રવારે ભૂતપૂર્વ સાથી નીતીશ કુમારની ટીકા કરી, બિહારના મુખ્ય પ્રધાન પર ભાજપની પીઠમાં છરા મારવાનો અને કોંગ્રેસ અને આરજેડીના ખોળામાં બેસીને વડા પ્રધાન બનવાની તેમની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાનો આરોપ મૂક્યો હતો.