કેજરીવાલે 7 રાજ્યોનાં CMને મોકલ્યું આમંત્રણ આપ્યું હતું. નિમંત્રણ મેળવનારા વિપક્ષી દળોનાં નેતાઓએ રાજનૈતિક ધોરણે આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમોથી દૂરી જાળવી રાખી છે.
કેજરીવાલે 7 રાજ્યોનાં CMને મોકલ્યું આમંત્રણ
ડીનર પર આવવા માટે આપ્યું નિમંત્રણ
પંજાબનાં CM સિવાય કોઈ ન રહ્યું હાજર
લોકસભાની ચૂંટણી 2023થી પહેલાં કોંગ્રેસ પાર્ટીની તરફથી પોતાને વિપક્ષનું નેતૃત્વ આપવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો તેલંગાણાના CM કે.સી.આરને લઈને દિલ્હીનાં સીએમ કેજરીવાલની તરફથી કોંગ્રેસ અને ભાજપ વિરોધી ત્રીજું દળ તૈયાર કરવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. જો કે તેમનાં આ પ્રયત્નો સફળ થતાં હોય તેવું દેખાઈ રહ્યું નથી.
કેજરીવાલે 7 રાજ્યોનાં CMને મોકલ્યું આમંત્રણ
હાલમાં આમ આદમી પાર્ટીનાં મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલે સાત રાજ્યોનાં મુખ્યમંત્રીઓને પત્ર મોકલીને 18 માર્ચનાં રોજ ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.જો કે વિપક્ષી દળોનાં સીએમ અલગ-અલગ કારણોસર આ ડિનર કાર્યક્રમમાં જોડાયા નહોતાં. દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગાણા, કેરળ, તમિલનાડુ અને પંજાબનાં મુખ્યમંત્રીઓને ડિનરનું આમંત્રણ આપ્યું હતું. જો કે આ ડિનરનાં કાર્યક્રમમાં કેવળ પંજાબનાં સીએમ ભગવંત માન જ જોડાયા. JMMનાં નેતા હેમંત સોરેન, DMK નેતા એમ.કે.સ્ટાલિન, TMC મમતા બેનર્જી, JDU નેતા નીતીશ કુમાર, BRS નેતા કે.સી.આર અને CPIM નેતા પિનરાઈ વિજય આ કાર્યક્રમથી દૂર રહ્યાં હતાં.
આ રાજનૈતિક દૂરીનું શું કારણ?
નેતાઓનાં આ નિર્ણયએ, CM કેજરીવાલની પીએમ મોદીનાં વિરોધમાં ભાજપ અને કોંગ્રેસને પડકારી ત્રીજો મોરચો બનાવવાનાં વિચારને ઝટકો આપ્યો છે. જો કે નિમંત્રણ મેળવનારા વિપક્ષી દળોનાં નેતાઓએ રાજનૈતિક ધોરણે AAPનાં કાર્યક્રમથી દૂર રહ્યાં છે. આ દળોએ કોંગ્રેસ સિવાય કોઈપણ ગઠબંધનમાં જોડાવાને મહત્વ આપ્યું નથી.
રાજનૈતિક દળોએ શું કહ્યું?
રિપોર્ટ અનુસાર, TMCની તરફથી મમતાજીએ આ મુદા પર જવાબ આપવાની જ ના પાડી હતી. તો JDUની તરફથી કહેવામાં આવ્યું કે નીતીશ કુમારની તરફથી કેજરીવાલની સાથે રાજનૈતિક ધોરણે દૂરી જાળવવામાં આવી રહી છે. કંઈક આવું જ BRS નેતા અને તેલંગાણાનાં સીએમનો અભિપ્રાય ગચોય BRSએ તો ડિનર અંગેનો પત્ર મળ્યાની વાતને જ નકારી હતી. તો ઝારખંડ સરકારે , ઝારખંડ વિધાનસભામાં બજેટ સત્ર હોવાને લીધે એપ્રિલમાં આ કાર્યક્રમ યોજવાની વાત કરી.