પ્રખર અધિવક્તા, ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન થયાં છે. દિલ્હીનાં નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયાં હતાં. પુત્ર રોહને અરૂણ જેટલીને મુખાગ્નિ આપી હતી. જેટલીએ શનિવારે બપોરે દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધાં હતાં. જેટલીને અંતિમ સંસ્કાર પહેલાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તેમની અંતિમ વિધિમાં અનેક રાજ્યોનાં CM, ગૃહમંત્રી શાહ, રક્ષામંત્રી રાજનાથ, ઉપરાષ્ટ્રપતિ નાયડુ સહિતનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં.
જેટલી ઘણાં લાંબા સમયથી બિમાર હતા અને છેલ્લા 15 દિવસ પહેલાં બિમારી વધવાથી દિલ્હીની AIIMS ખાતે દાખલ કરાયાં હતા. AIIMSમાં 5 દિવસથી વધુ સમય માટે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયાં બાદ અંતે શનિવારે બપોરે 12:07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ જેટલીનો પાર્થિવ દેહ તેમનાં નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો. નિવાસસ્થાનથી પાર્થિવ દેહને ભાજપ મુખ્યાલય પર લવાયો હતો. અને ભાજપ મુખ્યાલયથી સીધો જ દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર માટે લવાયો હતો.
જેટલીનાં અંતિમ સંસ્કારમાં આભ પણ રડી પડ્યું
અરૂણ જેટલીની તમામ અંતિમ વિધિ અને મુખાગ્નિ દીકરાં રોહને આપી હતી. આ સાથે જેટલીની પત્ની અને પુત્રી પણ હાજર હતા. દેશ ભરમાંથી પધારેેલાં ભાજપના હજારો કાર્યકર્તાઓ અને દિગ્ગજોની હાજરીમાં અંતિમવિધિ સંપન્ન થઈ હતી. આ સમયે કુદરત પણ આ દુઃખ સહન ન કરી શકતો હોય તેવી રીતે વરસાદ સ્વરૂપે આભ પણ જેટલીની અંતિમ વિદાયમાં રડી રહ્યું હતું.
અનેક રાજ્યોનાં CM અને ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર હતાં
પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની અંતિમ સફરનાં સાથી બનવા માટે પક્ષ અને વિપક્ષનાં અનેક નેતાઓ દિલ્હીનાં નિમગબોધ ઘાટ પર હાજર રહ્યાં હતાં. રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રાજકીય સન્માન સાથે નિગમબોધ ઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ ગુજરાતનાં CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રનાં સીએમ ફડણવીસ હાજર રહ્યાં હતાં.
નિગમબોધ ઘાટ પર શાહ-રાજનાથ અને ઉપરાષ્ટ્રપતિ નાયડુએ રાજકીય સન્માન સાથે જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી.
Delhi: Vice-President M Venkaiah Naidu, Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah, at Nigambodh Ghat. #ArunJaitleypic.twitter.com/uaFwJYyVyX
ભાજપ હેડક્વાર્ટર પર અનેક કાર્યકર્તાઓએ જેટલીનાં પાર્થિવ દેહને શિશ નમાવ્યું હતું
અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ ભાજપના હેડક્વાર્ટર ખાતે પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે દેશભરમાંથી પધારેલા પાર્ટીનાં કાર્યકર્તાઓ અને અનેક રાજ્યોનાં CM સહિતનાં નેતાઓએ જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી.
Delhi: Union Home Minister Amit Shah and National Working President of Bharatiya Janata Party, JP Nadda, pay respects to former Union Minister #ArunJaitley, at party headquarters. pic.twitter.com/IFZDfhR8P4
પોતાના વિદેશ પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ બેહરીનમાં કહ્યું કે, 'આજેે મારી અંદર અત્યંત દર્દ છૂપાયેલું છે. હું આટલો દુર છું અને મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો. પ્રધાનમંત્રી મોદીએ ઓગસ્ટ મહિનાને યાદ કરતા કહ્યું કે, થોડા દિવસ પહેલા બહેન સુષમા ચાલ્યા ગયા, આજે મારી સાથે ચાલનારો મિત્ર ચાલ્યો ગયો.'
ભાજપ માટે અમૂલ્ય હતા જેટલી: માજીદ મેનન
માજીદ મેનને કહ્યું કે, જેટલી એવા ઘણા ઓછા નેતાઓમાંનાં એક હતાં જેમની હિન્દી અને અંગ્રેજી બંને ભાષા પર સમાન પકડ હતી. હકીકતમાં, તે ભાજપ માટે અમૂલ્ય સંપત્તિ હતી. તેમની ખાલી જગ્યા ભરવી મુશ્કેલ છે.
Jaitley was among very few leaders who had proficency in both Hindi and English languages. Indeed he was an invaluable asset to BJP. The void is difficult to fill.
બ્રિટિશ હાઈ કમિશને અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું- 'જેટલી ભારતમાં બ્રિટીશ હાઈ કમિશનને યાદ આવશે, સર ડોમિનિક એસ્કિથિએ કહ્યું હતું કે, અરુણ જેટલી એવી વ્યક્તિ છે, જેને બ્રિટનના ઘણા લોકો સારી રીતે જાણે છે, તેમની સાથે સારી રીતે કામ કરે છે, તેને તેમનું જ્ઞાન નમ્રતા અને હાસ્યને મહત્વ આપવા માટે વપરાય છે. તેમને હમેંશા યાદ કરવામાં આવશે.'
British High Commissioner to India, Sir Dominic Asquith on #ArunJaitley: He was a man that many people in Britain treasured, knew well, worked with, valued him for his wisdom, gentleness and humour. He will be much missed. pic.twitter.com/TSxJJRCgd9
Deeply saddened by the passing away of @arunjaitley a tall leader in the classic sense,ready to give an ear to all,rising above political differences.Gracious,sharp ,articulate and helpful. Condolences to the family. Gone too soon. RIP
જેટલીના નિવાસસ્થાને કોંગ્રેસ સહિતના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી
કોંગ્રેસનાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ નાણામંત્રી અને બીજેપીનાં વરિષ્ઠ નેતા અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસનાં રાહુલ ગાંધી સહિત ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે પણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. આનંદ શર્મા અને ગુલામનબી આઝાદે પણ અરુણ જેટલીનાં અંતિમ દર્શન કર્યા હતાં.
અમિત શાહની આંખોમાં આવી ગયા આંસુ
અમિત શાહે કહ્યું કે, ભાજપનાં તમામ કાર્યકરો અરુણ જેટલીનાં નિધનથી ઘેરા દુ:ખમાં છે. અમિત શાહે કહ્યું કે, જેટલી હંમેશા મુશ્કેલ સમયમાં મારી સાથે રહ્યાં હતાં. આ કહેતી વખતે ગૃહમંત્રી અમિત શાહની આંખોમાં આંસુ આવી ગયા હતાં.