AIIMS દ્વારા આજે પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે અમે ભારે દુઃખ સાથે જણાવીએ છીએ કે 24 ઓગસ્ટના રોજ 12.07 મિનિટે અરૂણ જેટલી આપણી વચ્ચે નથી રહ્યાં. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીને 9 ઓગસ્ટના રોજ AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને વરિષ્ઠ ડોક્ટર્સની ટીમ તેમનો ઈલાજ કરી રહી હતી.
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ અરુણ જેટલીના ઘરે જઇ શ્રદ્ધાંજલિ આપી.
Delhi: Vice President M Venkaiah Naidu pays tribute to former Union Finance Minister #ArunJaitley who passed away earlier today. pic.twitter.com/ozjyPk2Cx6
— ANI (@ANI) August 24, 2019
અરૂણ જેટલીના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે લખ્યું હતું કે "અરૂણ જેટલી રાજકીય જગતના એક દિગ્ગજ નેતા હતા અને તેમનો ભારતના નિર્માણમાં ફાળો રહ્યો હતો. તેમની વિદાય એક મોટી ખોટ છે. તેમની પત્ની સંગીતાજી અને પુત્ર રોહન સાથે વાત કરીને સાંત્વના પાઠવી. ઓમ શાંતિ.
Arun Jaitley Ji was a political giant, towering intellectual and legal luminary. He was an articulate leader who made a lasting contribution to India. His passing away is very saddening. Spoke to his wife Sangeeta Ji as well as son Rohan, and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 24, 2019
સોનિયા-રાહુલ અને મનમોહનસિંહે જેટલીને પાઠવી શ્રદ્ધાંજલિઃ
સોનિયા ગાંધી, રાહુલ અને મનમોહનસિંહે જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી. તે વેળાએ સોનિયા ગાંધી ભાવુક થઇ ગયાં.
Delhi: Former PM Dr Manmohan Singh, Congress interim president Sonia Gandhi and Congress leader Rahul Gandhi, pay tribute to former Union Finance Minister Arun Jaitley who passed away earlier today. pic.twitter.com/YdNC0eaUJB
— ANI (@ANI) August 24, 2019
બીજેપીનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલિઃ
Delhi: Veteran BJP leader Lal Krishna Advani pays tribute to former Union Finance Minister Arun Jaitley, who passed away at All India Institute of Medical Sciences, earlier today. pic.twitter.com/oOBoU9veQO
— ANI (@ANI) August 24, 2019
અરૂણ જેટલીનાં નિધન પર રાહુલ ગાંધીએ શોક દર્શાવ્યોઃ
I am sorry to hear about Mr Arun Jaitley's passing. My condolences to his family and friends. May he rest in peace.
— Rahul Gandhi (@RahulGandhi) August 24, 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફતી પણ રક્ષામંત્રી રાજનાથ સિંહે દિવંગત અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પી
Delhi: Defence Minister Rajnath Singh lays wreaths, on his & Prime Minister Narendra Modi's behalf, on mortal remains of former Union Finance Minister Arun Jaitley. pic.twitter.com/kHFRb3X75F
— ANI (@ANI) August 24, 2019
અરવિંદ કેજરીવાલે અરૂણ જેટલીને અર્પી શ્રદ્ધાંજલિઃ
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીનાં ઘરે જઇને શ્રદ્ધાંજલિ પાઠવી.
Delhi: Congress leader Jyotiraditya Scindia along with his family, Delhi CM Arvind Kejriwal & Deputy CM Manish Sisodia, pay tribute to former Finance Minister #ArunJaitley, who passed away earlier today. pic.twitter.com/FNtlDST38y
— ANI (@ANI) August 24, 2019
વિદેશમંત્રી જયશંકર પ્રસાદે દિવંગત પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી.
Delhi: External Affairs Minister Subrahmanyam Jaishankar pays tribute to former Union Finance Minister Arun Jaitley, who passed away at All India Institute of Medical Sciences, earlier today. pic.twitter.com/7pjZN2FkiX
— ANI (@ANI) August 24, 2019
અરૂણ જેટલીનાં ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા રામનાથ કોવિંદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા.
Delhi: President Ram Nath Kovind pays tribute to former Union Finance Minister Arun Jaitley, who passed away at All India Institute of Medical Sciences, earlier today. pic.twitter.com/AZaxUZh0zO
— ANI (@ANI) August 24, 2019
ગૃહમંંત્રી અમિત શાહે અરૂણ જેટલીને પાઠવી શ્રદ્ધાંજલિઃ
ગૃહમંત્રી અમિત શાહ ભાજપનાં અધ્યક્ષ જે.પી નડ્ડા સહિત અરૂણ જેટલીનાં ઘરે પહોંચ્યાં છે. તેઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Delhi: Union Home Minister Amit Shah pays tribute to former Union Finance Minister Arun Jaitley, who passed away at All India Institute of Medical Sciences, earlier today. pic.twitter.com/C6VxsplH9L
— ANI (@ANI) August 24, 2019
અટલજીનાં નિધનનાં એક વર્ષ દરમ્યાન બીજેપીએ અનેક દિગ્ગજ નેતાઓ ખોયાં: પ્રકાશ જાવડેકર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અરૂણ જેટલીનાં નિધન પર દુઃખ જતાવતા કહ્યું કે, 'અટલજીનાં દેહાંતનાં એક વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાનાં અનેક દિગ્ગજ નેતાઓને ખોઇ દીધાં છે. અટલજી બાદ અનંત કુમાર, મનોહર પર્રિકર અને સુષ્મા સ્વરાજ ને હવે જેટલી.'
અરૂણ જેટલીનાં નિધન પર ટીમ ઇન્ડીયાએ દર્શાવ્યું દુઃખ, મેદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતરશે ખેલાડીઓઃ
Indian cricket team to wear black arm bands in its match against West Indies today to condole the demise of Former Finance Minister #ArunJaitley, who was also the president of the Delhi District Cricket Association (DDCA) & former vice-president of BCCI. (File pic) pic.twitter.com/cFxzycQ6zB
— ANI (@ANI) August 24, 2019
સાંજનાં 5 વાગ્યે અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપશે CM કમલનાથઃ
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ સિંહ સાંજનાં 5 વાગ્યે દિવંગત પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીને તેમનાં ઘરે જઇને શ્રદ્ધાંજલિ આપશે.
ઘરે પહોંચ્યો અરૂણ જેટલીનો પાર્થિવ દેહઃ
પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીનો પાર્થિવ દેહ એમ્સથી તેમનાં કૈલાશ કોલોની સ્થિત આવાસ પર પહોંચી ગયો છે. કાલે 10 વાગ્યે તેમનાં પાર્થિવ દેહને ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ બીજેપી મુખ્યાલય લાવવામાં આવશે.
Delhi: Mortal remains of former Union Finance Minister Arun Jaitley being taken to his residence from All India Institutes of Medical Sciences, where he passed away, earlier today. pic.twitter.com/LBfXddIDSR
— ANI (@ANI) August 24, 2019
તમને જણાવી દઇએ કે આવતી કાલે બે વાગ્યે નિગમબોધ ઘાટ પર અરૂણ જેટલીનાં અંતિમ સંસ્કાર કરાશે. અરૂણ જેટલીનાં પાર્થિવ શરીરને તેમનાં કૈલાશ કોલોની સ્થિત રહેઠાણ પર લાવાવામાં આવશે. ત્યાર બાદ સવારનાં 10 વાગ્યે પાર્ટી ઓફિસમાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. 2 વાગ્યે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થશે.
એલ કે અડવાણીએ કહ્યું, 'શાનદાર સાંસદ અને પ્રશાસક હતાં જેટલી'
બીજેપીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ અરૂણ જેટલીનાં નિધન પર શોક દર્શાવ્યો. તેમણે કહ્યું કે, કાયદાકીય વિદ્ધાન હોવાં સિવાય તેઓ એક શાનદાર સાંસદ અને પ્રશાસક હતાં.
જેટલીજીનું જવું એ મારા માટે વ્યક્તિગત ક્ષતિઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, ''અરૂણ જેટલીનાં નિધનથી ખૂબ જ દુખી છું. જેટલીજીનું જવું મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. તેમના રૂપે સંગઠનાના એક નેતાની સાથે પરિવારનો એક અભિન્ન સભ્ય પણ ગુમાવ્યા. જેમનો સાથ અને માર્ગદર્શન મને વર્ષો સુધી મળ્યું.''
अरुण जेटली जी के निधन से अत्यंत दुःखी हूँ, जेटली जी का जाना मेरे लिये एक व्यक्तिगत क्षति है।
— Amit Shah (@AmitShah) August 24, 2019
उनके रूप में मैंने न सिर्फ संगठन का एक वरिष्ठ नेता खोया है बल्कि परिवार का एक ऐसा अभिन्न सदस्य भी खोया है जिनका साथ और मार्गदर्शन मुझे वर्षो तक प्राप्त होता रहा।
काले धन पर कार्यवाही की बात हो, एक देश-एक कर ‘जीएसटी' के स्वप्न को साकार करने की बात हो, विमुद्रीकरण की बात हो या आम आदमी को राहत पहुंचाने की बात, उनके हर निर्णय में देश और देश की जनता का कल्याण निहित था।
— Amit Shah (@AmitShah) August 24, 2019
देश उन्हें उनके अत्यंत सरल एवं संवेदनशील व्यक्तित्व के लिए सदैव याद रखेगा।
રાજનાથ સિંહે પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'મેં મારા સારા મિત્રને ગુમાવી દીધાં.'
Jaitleyji will always be remembered for pulling the economy out of the gloom and putting it back on the right track.
— Rajnath Singh (@rajnathsingh) August 24, 2019
The BJP will miss Arunji’s presence. I extend my heartfelt condolences to his bereaved family.
Home Minister Amit Shah has cut short his visit to Hyderabad, and is returning to Delhi following passing away of former Finance Minister Arun Jaitley. https://t.co/jcyd3pel4z
— ANI (@ANI) August 24, 2019
RSS પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહે આપી જેટલીને શ્રદ્ધાંજલિઃ
श्री अरुण जेतली जी को पू. सरसंघचालक डॉ मोहनजी भागवत और माननीय सरकार्यवाह श्री सुरेश (भय्याजी) जोशी की विनम्र श्रद्धांजलि : pic.twitter.com/NhO6KZs32i
— RSS (@RSSorg) August 24, 2019
એસ જયશંકરે આ રીતે આપી વિદાયઃ
Deeply grieved at the passing away of Shri Arun Jaitley ji. A towering political figure who influenced an entire generation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 24, 2019
Will miss our discussions, on politics as much as cricket.
રવિશંકર પ્રસાદે કહ્યું, 'મારા મોટા ભાઇ જેવાં હતાં':
આપણાં વરિષ્ઠ નેતા અરૂણ જેટલીજીનાં નિધનથી ભારે શોક વ્યક્ત થયો છે. તેઓ મારા મોટા ભાઇની જેમ હતાં અને અમે બંનેએ વિદ્યાર્થી જીવનથી 45 વર્ષો સુધી સાથે કામ કર્યુ છે. તેઓ અદભુત નેતૃત્વ અને અસાધારણ પ્રતિભાનાં ધણી હતાં. આપણને સૌને તેમની ખૂબ યાદ આવશે. મારી સંવેદના તેમનાં પરિવારની સાથે જ છે.
Deeply condole the death of our senior leader #ArunJaitely Ji, who was like an elder brother to me. Have worked with him since my student days for more than 45 years. His intellect, leadership and eloquence was truly extraordinary. We all will really miss him. My deep condolences
— Ravi Shankar Prasad (@rsprasad) August 24, 2019
યોગી આદિત્યનાથે રદ્દ કરી મથુરાની મુલાકાતઃ
જન્માષ્ટમીનાં મોકા પર યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મથુરા જનારા હતાં. પરંતુ અરૂણ જેટલીનાં નિધન બાદ તેમણે આ મુલાકાતને રદ્દ કરી દીધી છે. તેઓ દિલ્હી આવી રહ્યાં છે.
જેટલીનાં નિધન પર યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યુ:
યૂપીનાં પૂર્વ સીએમ યોગી આદિત્યનાથે પણ જેટલીનાં નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે લખ્યું કે, દેશનાં પ્રખ્યાત વિધિવેત્તા અને પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીનાં નિધનનાં સમાચારથી હું સ્તબ્ધ છું. જેટલીજી વિદ્યાર્થી જીવનમાં જ ભાજપમાં જોડાયાં, આપાતકાળ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો કે આજીવન સકારાત્મક રાજનીતિની સાથે સાથે માં ભારતીની સેવા કરતા રહ્યાં.
તેમણે આગળ વધુ એક ટ્વિટમાં એમ જણાવ્યું કે, અરૂણ જેટલીનું જવું એ દેશ અને સમાજની એવી અપૂરણીય ક્ષતિ છે કે જેનાં ખાલીપાનો અહેસાસ આપણે લાંબા સમય સુધી કરતા રહીશું. ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે પુણ્યાત્માને તેઓ પોતાનાં શ્રી ચરણોમાં સ્થાન આપે અને પરિવારજનોને આ અપાર દુઃખને સહન કરવાની શક્તિ આપે. ॐ શાંતિ:
देश के प्रख्यात विधिवेत्ता एवं पूर्व केंद्रीय वित्त मंत्री श्री @arunjaitley जी के निधन की खबर से स्तब्ध हूं।
— Yogi Adityanath (@myogiadityanath) August 24, 2019
जेटली जी छात्र जीवन में ही भाजपा से जुड़े, आपातकाल के ख़िलाफ़ आवाज मुखर की एवं आजीवन सकारात्मक राजनीति के साथ माँ भारती की सेवा करते रहे।
श्री @arunjaitley जी का जाना देश और समाज की ऐसी अपूरणीय क्षति है जिसकी रिक्तता का अहसास हम लंबे समय तक करते रहेंगे।
— Yogi Adityanath (@myogiadityanath) August 24, 2019
ईश्वर से प्रार्थना है कि पुण्यात्मा को वे अपने श्री चरणों में स्थान दें और परिजनों को इस अपार दुःख को सहन करने की शक्ति दें।
ॐ शांति
નીતિન ગડકરીએ કહ્યું, 'દેશને સદાય તેમની ઉણપ રહેશે':
નિશબ્દ છું, અરૂણજીને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ. દેશને તેમની ઉણપ હંમેશા રહેશે. રાજ્યસભામાં પક્ષ અને વિપક્ષમાં રહેતા તેમનાં ભાષણ હંમેશા ચિરન્તન રહેશે. આપણાં બે મોટાં નેતાઓનું એક બાદ એક જતા રહેવું એ એક વજ્રાઘાત સમાન છે. અરૂણજીની દિવંગત આત્માને શાંતિ મળે એ પ્રાર્થના. ॐ શાંતિ:
શિવપાલ યાદવ બોલ્યાં, 'જેટલીનાં નિધનથી સ્તબ્ધ અને આહતઃ
પ્રખર વક્તા, અધિવક્તા, રાજ્યસભામાં યૂપીનું પ્રતિનિધિત્વ કરનાર ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની સૂચનાથી સ્તબ્ધ અને આહત છું. તેમનું નિધન રાષ્ટ્ર માટે મોટું નુકસાન છે. ઇશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શાંતિ અર્પે.
प्रखर वक्ता,अधिवक्ता, राज्यसभा में यूपी का प्रतिनिधित्व करने वाले भाजपा के वरिष्ठ नेता व पूर्व केन्द्रीय मंत्री श्री अरुण जेटली के निधन की सूचना से स्तब्ध व आहत हूं। उनका निधन राष्ट्र के लिए बड़ी क्षति है। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करें व परिजनों को दु:ख सहने की शक्ति दें।
— Shivpal Singh Yadav (@shivpalsinghyad) August 24, 2019
ચીની એમ્બેસીએ દુઃખ વ્યક્ત કર્યું:
ભારતમાં ચીનીની એમ્બેસીએ પણ અરૂણ જેટલીનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેઓએ કહ્યું કે, 'અરૂણ જેટલીનાં નિધન પર અમે ખૂબ દુઃખી છીએ. તેમનાં પરિવાર પ્રત્યે અમે સંવેદના પ્રગટ કરીએ છીએ.'
Sad to learn that former Finance Minister #ArunJaitley has passed away. My heartfelt condolences to the deceased and his family.
— Sun Weidong (@China_Amb_India) August 24, 2019
અખિલેશ યાદવે જેટલીને પાઠવી શ્રદ્ધાંજલિઃ
અરૂણ જેટલીજી એક કુશલ વક્તા, સફળ અધિવક્તા અને સૌમ્ય રાજનીતિજ્ઞનાં રૂપમાં સદૈવ સ્મરણીય રહેશે. વિનમ્ર શ્રદ્ધાંજલિ! ઇશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે. શોકાકુળ પરિવારજનો પર્ત્યે હાર્દિક સંવેદના.
श्री अरुण जेटली जी एक कुशल वक़्ता, सफल अधिवक्ता और सौम्य राजनीतिज्ञ के रूप में सदैव स्मरणीय रहेंगे. विनम्र श्रद्धांजलि! ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे.
— Akhilesh Yadav (@yadavakhilesh) August 24, 2019
शोकाकुल परिजनों के प्रति हार्दिक संवेदना.
લતા મંગેશકરે આ રીતે અર્પી શ્રદ્ધાંજલિઃ
મહાન ગાયક લતા મંગેશકરે પણ અરૂણ જેટલીનાં નિધન પર ભારે શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, અરૂણ જેટલીનાં નિધનથી ભારે દુઃખ થયું છે. એક ગતિશીલ નેતા, સજ્જન વ્યક્તિ અને અમારા પૂર્વ મંત્રી. ખૂબ જ વિનમ્રતાથી તેઓ મને મળવા આવ્યાં હતાં અને અમે ખૂબ મોડેક સુધી વાત કરી. તેમની યાદને વાગોળતા તેમનાં પરિવાર પ્રત્યે હાર્દિક સંવેદના.
Deeply saddened by the sad demise of Arun Jaitley ji.
— Lata Mangeshkar (@mangeshkarlata) August 24, 2019
A dynamic leader, a thorough gentleman and our former Finance Minister. Very kindly, he had come over to meet me and we spoke for a long time. Will cherish those memories. Heartfelt condolences to the family. pic.twitter.com/DIhrkgnKms
કોંગ્રેસે અરૂણ જેટલીને આ રીતે અર્પી શ્રદ્ધાંજલિઃ
We are deeply saddened to hear the passing of Shri Arun Jaitley. Our condolences to his family. Our thoughts and prayers are with them in this time of grief. pic.twitter.com/7Tk5pf9edw
— Congress (@INCIndia) August 24, 2019
રઘુબર દાસે કહ્યું, 'તેમનાં યોગદાનને દેશ હંમેશા યાદ કરશે'
अरुण जेटली जी के निधन से दुखी हूं। आज भारतीय जनता पार्टी ने परिवार के एक अभिन्न सदस्य को खो दिया। ईश्वर से प्रार्थना करता हूं कि दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दे एवं शोक-संतप्त परिजनों को दुःख की इस घड़ी में धैर्य व संबल प्रदान करें। pic.twitter.com/tJnhx4LBsh
— Raghubar Das (@dasraghubar) August 24, 2019
સોનિયા ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યોઃ
કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અરૂણ જેટલીનાં અસામયિક નિધન પર ઘેરો શોક અને દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમનાં મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેઓએ કહ્યું કે, જેટલીએ એક સાર્વજનિક વ્યક્તિ, સાંસદ અને મંત્રીનાં રૂપમાં એક લાંબી ઇનિંગ રમી અને સાર્વજનિક જીવનમાં તેમનાં યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
Congress President Smt. Sonia Gandhi shares a condolence message for Shri Arun Jaitley. pic.twitter.com/19sEA2900u
— Congress (@INCIndia) August 24, 2019
દિગ્વિજય સિંહે આ રીતે જેટલીને અર્પી શ્રદ્ધાંજલિઃ
અરૂણ જેટલી નહીં રહે. તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતાં. તેમનાં નિધનથી ભારતીય રાજનીતિને અપૂર્ણીય ક્ષતિ પહોંચી છે. તેઓ સારા વકીલ, સારા સાંસદ હોવાંને કારણ એક સારા વ્યક્તિ પણ હતાં. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ઇશ્વરને પ્રાર્થના કરું છું કે ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.
બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ અરૂણ જેટલીનાં નિધન પર કપિલ સિબ્બલે પણ દુઃખ વ્યક્ત કર્યુ હતું.
શશી થરૂરે ટ્વિટ કરીને જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યુ હતું. તેમણે કહ્યું કે તેમણે પોતાના મિત્ર અને દિલ્હી યુનિવર્સિટીના સીનિયરના નિધન પર ઘણાં દુઃખી છે. અમે સૌપ્રથમ ત્યારે મળ્યાં હતાં જ્યારે તેઓ દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંઘમાં હતા અને સૅન્ટ સ્ટીફન્સ કૉલેજ યુનિયનના અધ્યક્ષ હતાં.
Deeply saddened by the tragic passing of my friend&DelhiUniv senior @arunjaitley. We first met when he was at DUSU& I was President of StStephen’sCollegeUnion. Despite political differences we enjoyed a healthy mutual respect&debated his Budget often in LS. A great loss4India pic.twitter.com/RzxO1V6NTV
— Shashi Tharoor (@ShashiTharoor) August 24, 2019
કાર્યકાળ દરમ્યાન ઘણાં મંત્રાલયો સંભાળ્યા
અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના પ્રવક્તા બની ગયાં હતાં.
આ સપ્તાહમાં તમામ દિગ્ગજ નેતાઓ ખબર અંતર પૂછી આવ્યાં હતાં
અત્રે ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલીને દાખલ કરવામાં આવ્યા બાદ એક પછી એક નેતાઓ ખબર અંતર પહોંચ્યા હતાં. 9 ઓગસ્ટે પણ તેમની નાદુરસ્ત તબિયતના પગલે પ્રધાનમંત્રી મોદી સહિત ગૌતમ ગંભીર, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, જે.પી નડ્ડા, શરદ યાદવ, મિનાક્ષી લેખી, રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા જેવાં ટોચનાં નેતાઓ તેમની ખબર પૂછી આવ્યાં હતાં.
સોફ્ટ ટિશ્યુ કેન્સરથી પીડિત હતાં જેટલી
અરૂણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યાર બાદ જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશ્યું કેંસર થઇ ગયું હતું જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા. ચાલુ વર્ષે મે મહિનામાં પણ જેટલીને સારવાર માટે દાખલ કરાયા હતા. વ્યવસાયે વકીલ એવા જેટલી મોદી સરકારના એક મહત્ત્વના હિસ્સો છે. મોદીની પ્રથમ સરકારમાં તેઓ નાણા મંત્રી હતા, પરંતુ તબીયત ખરાબ રહેતી હોવાના કારણે તેઓ આ વખતે લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી લડયા ન હતા અને મંત્રી મંડળમાં પણ રહ્યા ન હતા.
પત્ર લખીને મંત્રીમંડળમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો
છેલ્લા ઘણા સમયથી અરૂણ જેટલી અસ્વસ્થ હતાં અને આ જ કારણે બીજી વખત મોદી સરકારની કેબિનેટમાં રહેવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. અરૂણ જેટલીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને મંત્રીમંડળમાં સમાવિષ્ટ નહી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અરૂણ જેટલીએ ટ્વીટર પર પત્ર શેર કરતા લખ્યું હતું કે, છેલ્લા 18 મહિનાથી હું બિમાર છું. મારી તબિયત ખરાબ છે, એટલા માટે મારો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવામાં આવવો જોઇએ.