નોટિફિકેશન અનુસાર અર્શદીપસિંહ ગિલને ગેરકાનૂની ગતિવિધિઓનાં અધિનિયમ 1967 અંતર્ગત આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
અર્શદીપસિંહ ગિલને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો
હત્યા, વસૂલી અને લક્ષિત હત્યા જેવા પણ અપરાધ શામેલ
આતંકવાદીઓનાં ફંડિગમાં પણ ગિલ શામેલ
ગૃહમંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડી છે જે અનુસાર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનાં સહયોગી અર્શદીપસિંહ ગિલ ઊર્ફે 'અર્શ ડલ્લા'ને ગેરકાનૂની ગતિવિધિઓનાં અધિનિયમ 1967 અંતર્ગત આતંકવાદી જાહેર કર્યો છે. આતંકવાદી ગતિવિધિયો સિવાય હત્યા, વસૂલી અને લક્ષિત હત્યા જેવા અપરાધ કર્યાં છે.
ગિલ હાલ કેનેડામાં
MHAએ એક નોટિફિકેશનનાં માધ્યમથી ઘોષણા કરી છે કે 1996માં જન્મેલા ગિલ જે પંજાબનાં લુધિયાણામાં જગરાઓનાં નિવાસી છે તે હાલમાં કેનેડામાં સ્થિત છે. અર્શદીપ UAPA અંતર્ગત નામિત આતંકવાદી હરદિપસિંહ નિજ્જરનાં નજીકી છે અને તેમના તરફથી જ આતંકી મોડ્યૂલ ચાલે છે.
MHA designates Khalistan Tiger Force associate Arshdeep Singh Gill as terrorist
આતંકવાદીઓને ફંડ આપતો હતો ગિલ
ગિલ મોટાપાયે આતંકવાદનાં ફંડીગ, ડ્રગ્સ અને હથિયારોની બોર્ડર પર તસ્કરી કરવામાં શામેલ છે અને રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવેલ વિવિધ મામલાઓમાં પણ આરોપી જાહેર થયો છે જેમાં લક્ષિત હત્યા, આતંકનાં ફંડીગ માટે ધન આપવું, હત્યાનો પ્રયાસ, સાંપ્રદાયિક સદ્ભાવનાને બગાડવું અને પંજાબ રાજ્યમાં લોકોની વચ્ચે આતંક પેદા કરી રહ્યાં છે.
આ અધિનિયમો વિરૂદ્ધ આરોપ
નોટિફિકેશન અનુસાર કેન્દ્ર સરકારનું માનવું છે કે ગિલ આતંકવાદમાં શામેલ છે અને તેમને ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ 1967ની કલમ 35 દ્વારા આપવામાં આવેલ શક્તિઓનો ઉપયોગ કરી તેમને આતંકવાદીનાં રૂપમાં જાહેર કરવામાં આવ્યો છે. UAPA અંતર્ગત ચોથી લિસ્ટમાં શામેલ થવાની સાથે તે 53મો મીર આતંકવાદી હશે.