રાજ્યમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર અને વિવિધ કૌભાંડોને લઈને કોંગ્રેસ હવે સરકાર સામે લડી લેવાના મુડમાં છે. કોંગ્રેસનું એક પ્રતીનિધી મંડળ આજે રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીને મળતા માટે અને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું.
गुजरात में पिछड़ी जातियों ख़ास करके दलितों पर बढ़ते अत्याचार बहिष्कारको रोकने के लिए, आज @INCGujarat के नेताओ ने महामहिम राज्यपाल ओपी कोहलीजी को याचिकापत्र दीया।
राज्यमें सामाजीक सौहार्द तोड़नेवाले असामाजिक तत्वोंको को @BJP4Gujarat सरकार राज्याश्रय ना दे व सख़्त कार्यवाही करे
જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડ઼ીયા અને દલિત નેતાઓ તેમજ ધારાસભ્યો સામેલ થયા હતા. કોંગ્રેસના આ પ્રતિનિધી મંડળે રાજ્યપાલને રાજ્યની વર્તમાન સ્થિતિમાં જે રીતે દલિયો પર અત્યાચાર થઈ રહ્યા છે. પત્રકારો પર હુમલા થઈ રહ્યા છે અને કરોડોના કૌભાંડો સામે આવી રહ્યા છે, તે મુદ્દે સચોટ તપાસ થાય તે માટે આવેદન પત્ર પાઠવ્યું હતું.
જિગ્નેશ મેવાણીના રાજ્ય સરકાર પર પ્રહાર
રાજ્યમાં દલિતો પર વધી રહેલા અત્યાચારને લઇ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અને માર્ટિન મેકવાને આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં આટલી ઘટનાઓ બને છે છતા સીએમ રૂપાણીએ સંવેદના નથી સેવી.
સીએમએ તમામ લોકો માટે સરખી સંવેદના રાખવી જોઇએ. સીએમ રૂપાણીએ આ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા પણ નથી આપી. ત્યારે દલિતો પર અત્યાચાર અંગે ગૃહપ્રધાન અને મુખ્ય સચિવ સાથે વારંવાર રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટમાં ભીમસેનાએ કર્યો ચક્કાજામ
વરઘોડા કાઢવા મામલે હાલ રાજ્યમાં અનેક જગ્યાએ દલિતો પર અત્યાચાર થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પહેલા કડીના લ્હોર અને ત્યાર બાદ અરવલ્લીના જિલ્લાના ખંભીસરમાં વરઘોડો કાઢવા મામલે મામલો બિચક્યો હતો.
ત્યારે આ મામલે ભીમ સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં ભીમ સેના દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ કરવામાં આવ્યો અને દલિતો પર ઉત્યાચાર બંધ કરવાની માગ સાત્રે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું.
દલિત અત્યાચાર મામલે માયાવતીના PM મોદી પર પ્રહાર
બસપાના અધ્યક્ષા માયાવતીએ પીએમ મોદી પર દલિત મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે ગુજરાતમાં દલિત યુવકના વરઘોડા મુદ્દે, ઉનાકાંડ અને મોદીના અંગત જીવનને લઇને પ્રહારો કર્યા હતા.
માયવતીએ ગુજરાતના મોડાસાના ખંભીસરમાં દલિત યુવકના વરઘોડાનો મુદ્દો પણ ચર્ચ્યો હતો. દલિત યુવકના લગ્નમાં વરઘોડો ના કાઢવા દીધો. વરઘોડો ના કાઢવાને લઈને દલિત પરિવારનું ઉત્પીડન કરાયુ. મોદી વોટ માટે ગરીબીનું નાટક કરી રહ્યા છે. મોદી જન્મજાત પછાત નથી, તેઓ કાગળ પર જ પછાત છે.