ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે આશરે 10 વર્ષ સુધી ભીખુ દલસાણિયા કાર્યરત રહ્યા બાદ બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવાયા
ભીખુ દલસાણિયાને નવી જવાબદારી
બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવાયા
બિહાર ભાજપની જવાબદારી ભીખુ દલસાણિયાને શીરે
ભાજપ અને RSSના ગોત્ર સાથે જોડાયેલા ગુજરાતના મોટા નેતા ભીખુ દલસાણિયાને નવી જવાબદારી મળી છે. ભીખુ દલસાણિયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવાયા છે. ભીખુ દલસાણિયાએ અનેક વર્ષો સુધી ગુજરાત ભાજપની જવાબદારી સંભાળી છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે આશરે 10 વર્ષ સુધી ભીખુ દલસાણિયા કાર્યરત રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના નેતા રત્નાકરની સંગઠન મહામંત્રી તરીકે નિમણૂંક થઈ હતી. ભીખુ દલસાણિયાને નવી જવાબદારી સોંપાવાની શકયતાઓ સેવાતી હતી.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કવાયત હાથ ધરાઈ ચૂકી છે. ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે.રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ
રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે. તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે. જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રત્નાકરની જગ્યાએ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણીયાને મહત્વની જવાબદારી અપાઈ છે. તો ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.