જામનગર તાલુકામાં ફરજ બજાવતા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો રોષે ભરાયા છે. મહેનતાણા ઉપરાંત કાયમી કરવા સહિતના મુદ્દે અન્યાયની બાબતને લઇને ઓપરેટરોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામપંચાયતની કામગીરી સરળ બનાવવા ગ્રામપંચાયત કોમ્પ્યુટર સાહસિકની હંગામી ભરતી કરવામાં આવી હતી.
વર્ષો પહેલા થયેલી ભરતી બાદ પણ આ કર્મચારીઓ તરફ સરકાર ધ્યાન ન આપતા જામનગર તાલુકાના કર્મચારીઓ રોષે ભરાયા છે. પોતાના હોદાને કાયમી કરવા કાયમી કર્મચારીઓના મળતા લાભ આપવાની માંગણી સાથે તંત્રને આવેદન પત્ર પાઠવામાં આવ્યું છે. જેમાં કનડતી બાબતોને સતવરે ઉકેલવાની માંગણી કરવામાં આવી છે.
કર્મચારીઓની માગ છે કે તેમને કાયમી કરવામાં આવે અને સાથે કાયમી કર્મચારીઓને મળતા લાભ પણ આપવામાં આવે. ત્યારે ડિઝિટલ યુગમાં કોમ્પ્યુટર ઓપરેટરોને ન્યા નથી મળતો. જેના કારણે જામનગર તાલુકાના કર્મચારીઓએ તંત્રને આવેદન પત્ર પાઠવ્યું છે.