નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની વિરુદ્ધ શાહીન બાગ (Shaheen Bagh) માં પ્રદર્શન કરી રહેલા લોકોએ લગભગ 70 દિવસ બાદ નોઇડા અને ફરીદાબાદ જતો એક વૈકલ્પિક રસ્તો ખોલ્યો છે. આ રસ્તે માત્ર નાની ગાડીઓ, કાર અને બાઇક જ નીકળી શકે છે. આ રસ્તો ખુબ જ સાંકડો છે.
70 દિવસ બાદ નોઇડા-ફરીદાબાદ જતો એક વૈકલ્પિક રસ્તો ખોલવામાં આવ્યો
આ રસ્તે માત્ર નાની ગાડીઓ, કાર અને બાઇક જ નીકળી શકે છે
આ રસ્તાને ખોલવાને લઇ પ્રદર્શનકારીઓ વચ્ચે સહમતિ બની શકી નથી
આ રસ્તો હોળી ફેમિલી, જામિયા, બાટલા હાઉસ અને અબુલ ફજલ થઇને નોઇડા અને ફરીદાબાદ જાય છે. પ્રદર્શનકારીઓએ માત્ર એક રસ્તો જ ખોલ્યો છે. જોકે, પાછા જતા રસ્તા પર હજુ પણ બેરિકેડ લાગેલા છે.
તેનું કારણ એ છે કે તેના પર કોઇ કટ નથી અને આગળ જતા પાછા આવવાના રસ્તા પર જ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. તેના ખુલવાથી જામથી કોઇ રાહત મળવાની નથી. પોલીસ સૂત્રો અનુસાર, જે બેરીકેડ મહામાયા ફ્લાઇ ઓવર પર લગાવાયો છે, તેને ખોલવો ત્યાં સુધી સંભવ નથી, જ્યાં સુધી પ્રોટેસ્ટનો એક સાઇડનો રોડ ખુલી નથી જતો કેમકે આ રસ્તા પર હેવી ટ્રાફિક છે.
આ રીતે પ્રદર્શનકારીઓએ શાહીન બાગ વાળા મુખ્ય રસ્તાને ખોલ્યો નથી. માત્ર એક વૈકલ્પિક રસ્તાને ખોલ્યો છે. પ્રદર્શનકારીઓ દ્વારા આ રસ્તાને ખોલવાથી સ્થાનીય લોકોને સુવિધા મળી શકે છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરવામાં આવેલા વાર્તાકારો સાથે વાતચીત બાદ અબુલ ફજલ વાળા રસ્તાને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડીસીપી સાઉથ ઇસ્ટના મુજબ, આજે સવારે રોડ નંબર 9ને પ્રદર્શનકારીઓના એક જુથે ખોલી દીધો હતો. પરંતુ બાદમાં બીજા જુથે તેને બંધ કરી દીધો હતો. જોકે, આ રસ્તાને ખોલવાને લઇ પ્રદર્શનકારીઓ વચ્ચે સહમતિ બની શકી નથી.
આ પહેલા શનિવારે સવારે વાર્તાકાર સંજય હેગડે અને સાધના રામચંદ્રન શાહીન બાગ પહોંચ્યા અને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી. વાર્તાકારોની કોશિશ ચોથા દિવસે રંગ લાવી અને પ્રદર્શનકારીઓએ આશાનો એક રસ્તો ખોલવા માટે તૈયાર થઇ ગયા.