ભલે અનિલ અંબાણી દેવામાં ફસાયેલા હોય પણ તેમની એક કંપનીના શૅરએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
દેવામાં ફસાયેલા છે અનિલ અંબાણી
અનિલ અંબાણીની એક કંપનીએ કરાવ્યો ફાયદો
રોકાણકારોને મળ્યું મોટું રિટર્ન
ભલે અનિલ અંબાણી દેવામાં ફસાયેલા હોય પણ તેમની એક કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે શૅરના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા 6 મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાના શૅરને 200 ટકાથી વધારેનું રિટર્ન મળ્યું છે. જ્યારે છેલ્લા 12 મહિનામાં શૅર 265 ટકા ઉપર આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં પણ તે 160 ટકાના વધારા પર જોવા મળ્યો છે.
આ રીતે મેળવશે 550 કરોડ રૂપિયા
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ટરના રોકાણકાર મંડલે શૅર જાહેર કરીને 550.56 કરોડ રૂપિયાની રકમ ભેગી કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ રકમ કંપનીના સામાન્ય ઉદ્દેશ્યો, ભવિષ્યમાં કારોબારનો વધારો અને સાથે યોજનાની નાણાકીય સુવિધા અને દેવામાં ફસાયેલા દીર્ઘકાલીન સંસાધનના સ્ત્રોતના રૂપમાં પ્રયોગ કરાશે. આ રકમ પ્રવર્તક સમૂહ અને વીએફએસઆઈ હોલ્ડિંગ્સ પ્રા. લિ.ને 8.88 કરોડ શૅર અને વારંટ જાહેર કરીને મેળવશે. વારંટના બરોબરની રકમમાં ઈક્વિટી શૅરના રૂપમાં પરિવર્તનીય હશે. પીએફએસઆઈ હોલ્ડિંગ્સ કંપની વાર્ડે ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સની સમબદ્ધ કંપની છે. આ નિર્ગમના કારણે પ્રવર્તક સમૂહ 400 કરોડ રૂપિયા અને વાર્ડે સમૂહ 150 કરોડ રૂપિયાની રકમ લગાવશે.
2021માં રોકાણકારોના રૂપિયા થશે બમણા
2 ડિસેમ્બર 2020ના રિલાયન્સ ઈન્ફ્રાને શેરનો ભાવ 22.85 રૂપિયા હતો જે 7 જૂન 2021ના રોજ 73.25 રૂપિયા થયો છે. આ સમયે શેરમાં 220 ટકાનો ઉછાળો આવ્યો છે. એ વર્ષમાં સ્ટોક 265 ટકાથી વધારે ઉછળ્યો છે જ્યારે વર્ષ 2021ની શરૂઆતથી શેર 160 ટકા વધ્યો છે. જે રોકાણકારોએ અનિલ અંબાણીની આ કંપનીમાં રોકાણ કર્યું હશે તેમના રૂપિયા 6 મહિનામાં બમણા થયા હશે.
નુકસાન થયું હતું
માર્ચના ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ફ્રાનું નુકસાન ઓછું થઈને 46.53 કરોડ રૂપિયા થયું છે. ગયા વર્ષે આ સમયે કંપનીને 153.48 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીએ કહ્યું કે જાન્યુઆરી -માર્ચમાં તેની આવક વધીને 4,610.72 કરોડ રૂપિયા પર પહોંચ્યો જે તેનાથી ગયા વર્ષની સમાન તિમાહીમાં 4,012.87 કરોડ રૂપિયા રહી હતી.