અંતિમ તબક્કાનું મતદાન આગામી સમયગાળામાં યોજાવાનું છે, મતગણતરી 23 મેના રોજ છે પરંતુ દિલ્હીથી લઇને આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવા માટે કામકાજ શરૂ થઇ ગયું છે. આ સાથે જ આગામી પાંચ વર્ષ માટે સત્તામાં કોણ રહેશે તેને લઇને પણ સમીકરણો જોડાવા લાગ્યા છે.
Andhra Pradesh CM and Telugu Desam Party (TDP) Chief N. Chandrababu Naidu met Samajwadi Party Chief Akhilesh Yadav, in Lucknow, today. pic.twitter.com/ujUgNz6Qfq
આ તમામ કવાયત વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂ એક મધ્યસ્થ બનીને ઉભરી આવ્યા છે. તેઓ કેન્દ્રમાં BJP સરકાર બનાવવા માટે તમામ સંભવિત પરિદ્રશ્યો પર વિચાર કરી રહ્યા છે.
Andhra Pradesh CM and TDP leader N Chandrababu Naidu meets BSP Chief Mayawati in Lucknow. pic.twitter.com/MQ5xlNUW4R
આ સિલસિલાને લઇને નાયડૂ આજરોજ વિવિધ દિગ્ગજો સાથે મેરાથોન બેઠકો યોજી રહ્યા છે. આજરોજ સવારે તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી અને ચૂંટણીના સંભવિત પરીણામો પર ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવને મળ્યા હતા અને વિવિધ વિષયો પર વાતચીત કરી હતી.
આપને જણાવી દઇએ કે, વિપક્ષોની તમામ કોશિશ આ તથ્યો પર આધારિત છે કે જો કેન્દ્રના પરીણામ બાદ નરેન્દ્ર મોદીને સ્પષ્ટ બહુમતિ નથી મળતી તો કોઇપણ કસર છોડ્યા વગર તમામ વિપક્ષોને એકસાથે જોડી રાખવામાં આવે.
ત્યારે આજરોજ મોડી સાંજે ચંદ્રબાબુ લખનઉમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી અને અખિલેશ યાદવની મુલાકાતે પહોંચ્યા હતા. નાયડૂએ લખનઉમાં SP કચેરીમાં અખિલેશ યાદવની મુલાકાત લીધી હતી.