લોકસભા ચૂંટણી 2019માં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત બાદ બંને સાંસદ તરીકે ચૂંટાયા છે. જેથી આ બંને નેતાઓ પહેલાં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતાં જેથી હવે આ બંને બેઠકો ખાલી થઈ છે. પરિણામે 5 જુલાઈએ આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં વિવાદ પણ થયો જેમાં કોંગ્રેસે બંને બેઠકો પર એકસાથે ચૂંટણી કરવાની માંગ કરી હતી પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ માંગણી ફગાવી દીધી હતી. જેથી હવે 5 જુલાઈએ ગુજરાતની આ 2 બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપની જીત બંને બેઠકો પર નિશ્ચિત મનાય છે. જાણો Analysis with Isudan Gadhvi માં આ પાછળનું શું સમીકરણ છે અને બંને બેઠકો પર ભાજપ-કોંગ્રેસે કયા ઉમેદવારો ઉતાર્યા છે મેદાને.