બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / An unruly mob of 1,000 people pelted stones on the train in Nadiya
Hiralal
Last Updated: 08:48 PM, 12 June 2022
ભાજપ નેતાના પયગંબર વિરોધી નિવેદનની આગ હવે બંગાળના બીજા વિસ્તારમાં ફેલાઈ છે. રવિવારે બંગાળના નદિયા જિલ્લામાં મોટી બબાલ થઈ હતી. પયગંબરના નિવેદનના વિરોધમાં નદિયાના રસ્તા પર ઉતરી આવેલા લોકોએ દેખાવ કર્યો હતો. પોલીસે તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે લોકો બેથુઆડહરી રેલવે સ્ટેશનમાં ઘુસી ગયા હતા અને ત્યાં પણ બબાલ કરી મૂકી હતી. લોકોએ બેથુઆડહરી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી એક ટ્રેન પર જોરદાર પથ્થરમારો શરુ કરી દીધો હતો. પથ્થરમારો થતા પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા અને ફટાફટ બારીઓ બંધ કરવા લાગ્યા હતા. ડરના માર્યા કેટલાક પ્રવાસીઓ ચીસો પણ પાડવા લાગ્યા હતા. ટ્રેનમાં એક પ્રકારનો ડર ફેલાયો હતો અને લોકો જેમ તેમ કરીને બચવાના પ્રયાસ કરવા લાગ્યા હતા. લગભગ 10 મિનિટ સુધી ભારે પથ્થરમારો થતો રહ્યો હતો અને આ દરમિયાન પ્રવાસીઓના જીવ પડીકે બંધાઈ રહ્યાં હતા.
West Bengal | An unruly mob of 1,000 people pelted stones on the train. Few people were injured. As of now, no train is running there, we are waiting for state govt's permission: Eklavya Chakraborty, Chief Public Relation Officer, Eastern Railway
— ANI (@ANI) June 12, 2022
1000 લોકો રેલવે સ્ટેશનમાં ઘુસ્યા
પ્રાથમિક રિપોર્ટ અનુસાર બેથુઆડહરી રેલવે સ્ટેશનમાં 1000 લોકો ઘુસ્યા હતા અને તેમણે કંઈ ન પડ્યું તો ટ્રેનને નિશાન બનાવી હતી અને તેની પર પથ્થરમારો કર્યો હતો.
West Bengal | A local train in Bethuadhari, Nadia district vandalised amid protest by locals against controversial religious remarks pic.twitter.com/KYdrPw0T1v
— ANI (@ANI) June 12, 2022
શનિવારે હાવડામાં પણ ફાટી નીકળી હતી હિંસા
પયગંબર નિવેદનના વિરોધ તરીકે શનિવારે હાવડામાં પણ હિંસા થઈ હતી. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હિંસક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. તથા ગઇકાલની હિંસા બાદથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે સવારે ફરી એકવાર ટોળું એકઠું થયું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે ઘટના સ્થળે પરિસ્થિતિને કોઈ રીતે સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં સ્થિતિ તંગ બનેલી છે.
પ્રદર્શનકારીઓએ કરી હતી આગજની
હાવડામાં લોકોએ ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્મા અને હાંકી કઢાયેલા નેતા નવીન જિંદાલના વિવાદિત નિવેદનોનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ વાન અને પોલીસ બૂથ પર આગ લગાવી દીધી હતી. ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો અને કોઈક રીતે લોકોને ભગાડી મૂકવામાં આવ્યા હતા. તેઓ નૂપુર શર્માની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે નૂપુર શર્માની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. સસ્પેન્ડેડ ભાજપના પ્રવક્તાએ પયગંબર મોહમ્મદ વિશેની ટીવી ડિબેટમાં વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે પછી દેશ અને દુનિયામાં તેમના વિશે ઘણી ચર્ચા થઈ હતી. આ નિવેદન બાદ થયેલા હોબાળાને જોતા ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે જ તેમણે પોતાના નિવેદનોથી નિવેદન પણ જાહેર કર્યું હતું.
Controversial remark row | After the Cachar and Karimganj districts of Assam, Section 144 CrPC has been imposed in two more districts--Bongaigaon and Hailakandi by the district administration.
— ANI (@ANI) June 12, 2022
રાંચીમાં થયા હતા 2 લોકોના મોત
રાંચીમાં લોકો નુપૂર શર્મા અને નવીન જિંદલની ધરપકડની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતા જેને પગલે ભારે હિંસા ફાટી નીકળી હતી જેમાં 2 લોકોના મોત થયા હતા તથા 10થી વધુ ઘાયલ થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા