રિવિઝન અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એક મહિલા પ્રોફેસર કે જે યુનિવર્સિટીમાં વિભાગના વડા પણ હતા. તેમણે તેમની સાથે જાતિના આધારે ભેદભાવ કરી રહી હતી
મદ્રાસ હાઈકોર્ટની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ અંગે ટિપ્પણી
મહિલા પ્રોફેસરે જાતિના આધારે ભેદભાવ કર્યો હોવાની કરી હતી અરજી
મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની કલમ 3 ત્યારે જ લાગુ થઈ શકે છે જ્યારે કોઈ આરોપી વ્યક્તિ જૂથ તરીકે SC/ST સમુદાયના 'સભ્યો' વિરુદ્ધ લાગણીઓને પ્રોત્સાહન આપવાની કોશિષ કરી હોય.
આમ કરવાથી સાથે કોર્ટે મદ્રાસ યુનિવર્સિટીના એક દલિત પ્રોફેસર દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી રિવિઝન અરજીને ફગાવી દીધી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એક મહિલા પ્રોફેસર કે જે યુનિવર્સિટીમાં વિભાગના વડા પણ હતા. તેમણે તેમની સાથે જાતિના આધારે ભેદભાવ કરી રહી હતી. અરજદાર ડૉ. આર રાધાક્રિષ્નને હાઇકોર્ટને વિશેષ અદાલતના આદેશને રદ કરવા વિનંતી કરી હતી જેણે પોલીસને મહિલા પ્રોફેસર સામે એસસી/એસટી એક્ટની કલમ 3(1)(યુ) હેઠળ કેસ કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
જોકે જસ્ટિસ ડી ભરત ચક્રવર્તીએ કહ્યું કે, અધિનિયમનું કાળજીપૂર્વક વાંચન દર્શાવે છે કે, ધારાસભા(Legislature)એ આ શબ્દનો કાળજીપૂર્વક ઉપયોગ કર્યો છે કે, જ્યારે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના 'સભ્ય'નું અપમાન કરવામાં આવે છે, ત્યારે કલમ 3(1)(r) અને 3(1)(s) આવે છે.
હાઇકોર્ટે રાજ્યની રજૂઆતની પણ નોંધ લીધી હતી કે, અરજદારે આરોપી સામે પ્રતિ-પ્રતિક્રિયા તરીકે અરજી દાખલ કરી હતી, કારણ કે તેણે અરજદાર સામે "કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન" કરવા બદલ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સાથે કોર્ટે વધુ અવલોકન કર્યું હતું કે, મહિલાએ માત્ર ફરિયાદ નોંધાવી હતી અને તેને અરજદાર વિરુદ્ધ શારીરિક નુકસાન અથવા માનસિક વેદના તરીકે સમજી શકાય નહીં. એસસી/એસટી એક્ટની જોગવાઈઓ એકલા આરોપીના આવા વર્તનને લાગુ પડતી નથી.