જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકીને ઠાર કરવાંમાં આવ્યો હતો.
આતંકવાદી અનાયત અશરફ ડાર
જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયાના સમાચાર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી બાદ કેશવા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું કે, બુધવારે એક સક્રિય આતંકવાદી અનાયત અશરફ ડાર, જે OGW હતો અને શોપિયાના કેશવામાં ડ્રગ્સના કેસમાં પણ સામેલ હતો, તેણે ગોળીબાર કરીને એક નાગરિકને ઘાયલ કર્યો હતો.
Jammu & Kashmir: A terrorist has been killed in an encounter with security forces during a search & cordon operation in Kashwa, Shopian. The security forces launched the operation after he fired upon a civilian last night, as per police.
આત્મસમર્પણ કરવાની ઓફર
આ આતંકવાદીને અગાઉ આત્મસમર્પણ કરવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તે સંમત થયો ન હતો. બાદમાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યૂ હતું. તેની પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઘાયલ નાગરિક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
જમ્મુ કશ્મીરના પુલવામાંમાં વધુ એક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ એક ગ્રેનેડ હુમલો હતો જે મુખ્ય ચોક પર તૈનાત સુરક્ષાદળોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગ્રેનેડ જો કે રસ્તા પર જઈને ફાટ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ અટકાવી શકાઈ હતી.
ત્રણ સ્થાનિકો ઘાયલ
ગ્રેનેડ હુમલામાં ત્રણ સ્થાનિક નાગરિકો ઘાયલ થયા હતા. તેમણે નજીકની હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ પણ થોડા દિવસ અગાઉ જ જમ્મૂ કાશીમરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. જેમા ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમા એક જવાન શહિદ થયો હતો. સાથે જ હેલિકોપ્ટરમાં સવાર બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના જમ્મુના પટનીટોપ વિસ્તારમાં શિવગઢ પહાડો વચ્ચે થઈ હતી. જેમા એક જવાન શહિદ પણ થયો હતો.