કોર્ટમાં રાજ્ય ચૂંટણીપંચે 303 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની રજૂઆત ચૂંટણીપંચ દ્વારા કરાઈ છે.
મનપાની ચૂંટણી અંગે મહત્વના સમાચાર
મનપાની ચૂંટણી અંગે હાઇકોર્ટમાં અરજીનો મામલો
ચૂંટણીપંચે HCમાં રજૂ કર્યો જવાબ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે હાઇકોર્ટમાં દાખલ અરજી મામલે પંચે જવાબ રજૂ કર્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે એક વિવાદે પણ જન્મ લીધો છે. ચૂંટણીપંચની જાહેરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરીની તારીખો અલગ-અલગ જાહેર કરાઈ હતી. જે બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને પછી આ મામલે હાઈકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી. જે મુદ્દે ચૂંટણી પંચ દ્વારા આજે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરાયો છે.
રાજ્ય ચૂંટણીપંચે 303 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની રજૂઆત ચૂંટણીપંચ દ્વારા કરાઈ છે. પોતાના અધિકારો અંગે કોર્ટ સમક્ષ ચૂંટણીપંચે જણાવ્યું કે, પંચ બંધારણીય દરજ્જો ધરાવે છે. અને મત ગણતરી અલગ-અલગ દિવસે થાય તો બંધારણીય હક છીનવાતો નથી. ગ્રામીણ અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અલગ હોય છે. જો કે, કોર્ટ આ મામલે વધુ સુનાવણી આવતીકાલ હાથ ધરશે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ક્યારે છે ઈલેક્શન
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.