વલસાડના ગુંદલાવ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. અંકલેશ્વરના એક પરિવારને આ અકસ્માત નડ્યો છે. કારમાં સવાર 7 પૈકી 3 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા છે. હાઈવે પર એક ટ્રક સાથે કાર અથડાઈ હતી. જે બાદ કાર ડિવાઈડર પર ચડી જતા અને થાંભલા સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર રીતે કારનો કચકડો થઈ ગયો હતો.
કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અંકલેશ્વરનો આ પરિવાર દમણથી પરત આવી રહ્યો હતો. દમણમાં એક શોક સભામાંથી પરત ફરતા સમયે વલસાડના ગુંદલાવ નજીક અકસ્માતનો ભોગ બન્યો છે. જે લોકોના મોત થયા છે. તેમાં 2 બાળકીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો અન્ય 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.